સમ્યગ્દર્શન )
( ગૃહસ્થને આત્મદર્શન : ૨૯
(ગુરુદેવને અત્યંત પ્રિય યોગસાર દોહા ૧૮ ઉપરનું પ્રવચન)
‘હે સ્વામી! આપ આત્મદર્શનને જ મોક્ષનું કારણ કહો છો ને
આત્મજ્ઞાન કરવાનું કહો છો; તો અમને પ્રશ્ન થાય છે કે, ‘અમે તો
ગૃહસ્થ છીએ, શું અમને પણ આત્મદર્શન અને આત્મજ્ઞાન થાય?’
તેનો ઉત્તર કહે છે કે હા, સાંભળ –
गिहि--वावार परिठ्ठिया हेयाहेउ मुणंति।
अणुदिणु झायहिं देउ जिणु लहु णिव्वाणु लहंति ।।
ગૃહકામ કરતાં છતાં હેયાહેયનું જ્ઞાન;
ધ્યાવે સદા જિનેશપદ, શીઘ્ર લહે નિર્વાણ.
ધર્મી જીવ ગૃહસ્થ સંબંધી પ્રવૃત્તિમાં રહેલા હોવા છતાં તેને
હેય – ઉપાદેયનો વિવેક છે. પોતાનો શુદ્ધઆત્મા જ ઉપાદેય છે તે
ક્યારેય ભૂલાતો નથી, અને દરરોજ જિનદેવના ધ્યાનમાં તેનું ચિત્ત
લાગેલું છે. આવા ધર્મી – ગૃહસ્થ શીઘ્ર નિર્વાણને પામે છે.
c ગૃહસ્થને આત્મદર્શન c
મુનિધર્મ
શ્રાવકધર્મ