છે.
આત્મજ્ઞાન અને મોક્ષમાર્ગ હોય છે. સ્વર્ગનો દેવ હોય કે મનુષ્ય,
સિંહાદિ તીર્યંચ હોય કે નારકી, – દરેકને ભગવાન આત્મા તો
અંદર બેઠો છે ને
ચૈતન્યવસ્તુ મારે ઉપાદેય છે ને જે વિષયકષાયો રાગદ્વેષ છે તે હેય
છે; – આવા હેય – ઉપાદેયના સાચા જ્ઞાનવડે ધર્મી – ગૃહસ્થ
પણ નિર્વાણમાર્ગનો પથિક છે, તે મોક્ષનો સાધક છે.
વેપાર – ધંધા, રાજ – પાટ કે રાગ અને રાણીઓ એ તો બધું
આત્માના દર્શનથી બહાર રહી જાય છે; એને તે પરરુપે જાણે છે,
હેય સમજે છે; નિજરુપ નથી માનતો, ઉપાદેય નથી સમજતો;
એટલે એમાં ક્યાંય તે સુખબુદ્ધિ નથી કરતો; અંતરમાંથી આવેલા
અતીન્દ્રિયસુખને જ તે ઉપાદેય સમજે છે. આવા હેય – ઉપાદેયના
વિવેક વડે તે ગૃહસ્થ પણ મોક્ષના માર્ગમાં છે. ખરેખર તે ‘ગૃહ –
સ્થ’ નથી પણ ‘માર્ગ – સ્થ’ છે.