Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 30 of 237
PDF/HTML Page 43 of 250

 

background image
૩૦ : ગૃહસ્થને આત્મદર્શન )
( સમ્યગ્દર્શન
વાહ રે વાહ, જુઓ તો ખરા.....આત્મદર્શન વડે ગૃહસ્થને,
અરે દેડકાને – સિંહને – હાથીને પણ મોક્ષના દરવાજા ખુલી જાય
છે.
આત્મદર્શન અને મોક્ષમાર્ગ એકલા મુનિઓને જ હોય ને
શ્રાવક – ગૃહસ્થને ન હોય – એમ નથી; શ્રાવક – ગૃહસ્થને પણ
આત્મજ્ઞાન અને મોક્ષમાર્ગ હોય છે. સ્વર્ગનો દેવ હોય કે મનુષ્ય,
સિંહાદિ તીર્યંચ હોય કે નારકી, – દરેકને ભગવાન આત્મા તો
અંદર બેઠો છે ને
? – તે પોતાના શુદ્ધઆત્માને અંતઃદ્રષ્ટિથી દેખીને
મોક્ષના માર્ગમાં ચાલી શકે છે. મારામાં રહેલી મારી શુદ્ધ
ચૈતન્યવસ્તુ મારે ઉપાદેય છે ને જે વિષયકષાયો રાગદ્વેષ છે તે હેય
છે; – આવા હેય – ઉપાદેયના સાચા જ્ઞાનવડે ધર્મી – ગૃહસ્થ
પણ નિર્વાણમાર્ગનો પથિક છે, તે મોક્ષનો સાધક છે.
– ચોથા કાળમાં એમ થતું હશે! – પણ અત્યારે તો
પંચમકાળ છે ને!
– અરે ભાઈ! પંચમકાળમાં થયેલા મુનિનું તો આ કથન છે
ને પંચમકાળના ગૃહસ્થને પણ આવું નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે.
વેપાર – ધંધા, રાજ – પાટ કે રાગ અને રાણીઓ એ તો બધું
આત્માના દર્શનથી બહાર રહી જાય છે; એને તે પરરુપે જાણે છે,
હેય સમજે છે; નિજરુપ નથી માનતો, ઉપાદેય નથી સમજતો;
એટલે એમાં ક્યાંય તે સુખબુદ્ધિ નથી કરતો; અંતરમાંથી આવેલા
અતીન્દ્રિયસુખને જ તે ઉપાદેય સમજે છે. આવા હેય – ઉપાદેયના
વિવેક વડે તે ગૃહસ્થ પણ મોક્ષના માર્ગમાં છે. ખરેખર તે ‘ગૃહ –
સ્થ’ નથી પણ ‘માર્ગ – સ્થ’ છે.
गृहस्थोपि मोक्षमार्गस्य.....’ એ
સમન્તભદ્રસ્વામીનું વચન છે.
– આવા ધર્માત્માને માટે પં. બનારસીદાસજીએ ‘न गृहस्थ