Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 33 of 237
PDF/HTML Page 46 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( ગૃહસ્થને આત્મદર્શન : ૩૩
બહાર છે. પોતાનો ચૈતન્યસ્વભાવ જે નજીક છે – પોતામાં જ છે,
તે જ અનુભવનું સાધન છે; તેમાં સ્વસન્મુખ થતાં સમ્યગ્દર્શન થાય
છે ને ગૃહસ્થ પણ તે કરી શકે છે. પહેલાં બાહ્યદ્રષ્ટિમાં આત્મા દૂર
હતો, હવે અંતરદ્રષ્ટિમાં તેને સમીપ કર્યો કે ‘આ હું
!’ – આવા
ધર્મી ગૃહસ્થ પણ મોક્ષમાર્ગના પથિક છે.
મુનિવરો પાસે મોટો મોક્ષમાર્ગ છે, સમકિતી – ગૃહસ્થ પાસે
નાનો (થોડો) મોક્ષમાર્ગ છે; – પણ છે તો બંને મોક્ષમાર્ગમાં; બંને
જિનેશ્વરના વારસદાર છે. સાધક મુમુક્ષુ કહે છે કે હું સિદ્ધ
ભગવંતોના પંથે મોક્ષપુરીમાં જાઉં છું.....સ્વાનુભવ વડે એ
મોક્ષપુરીનો રસ્તો મેં જોયેલો છે; મોક્ષના દરવાજા સ્વાનુભવ વડે
ખુલી ગયા છે.
વાહ, મોક્ષના દરવાજા ખોલવાની રીત બતાવીને
સંતોએ મહાન ઉપકાર કર્યો છે.
‘चिन्मूरत दृगधारि की मोहे रीति लगत है अटापटी’
બહારમાં ચક્રવર્તીરાજના વૈભવનો ઘેરો હોય ને અંદરમાં
મોક્ષની સાધના ચાલુ હોય, – ધર્મીની આવી અટપટી દશા, –
પોતામાં ભેદજ્ઞાન વગર ઓળખાય તેવી નથી. ચોથાગુણસ્થાનવર્તી
ગૃહસ્થનેય ક્યારેક નિર્વિકલ્પ આત્મધ્યાન થાય છે. – પણ તે
ક્વચિત્ જ હોય છે. – પરંતુ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગ તો તેને
નિરંતર ચાલુ હોય છે. આ જાણીને જિજ્ઞાસુ ગૃહસ્થોએ પણ
સમ્યક્ત્વની આરાધના કર્તવ્ય છે.
e