Samyak Darshan Part 7 8 (Gujarati). Aatmana Suddhaswarupnu Chintan Karo.

< Previous Page   Next Page >


Page 36 of 237
PDF/HTML Page 49 of 250

 

background image
૩૬ : સંતોનો સિંહનાદ )
( સમ્યગ્દર્શન
આત્માના શુદ્ધસ્વરુપનું ચિંતન કરો
જિનવર ને શુદ્ધાત્મમાં કિંચિત ભેદ ન જાણ;
મોક્ષાર્થે હે યોગીજન નિશ્ચયથી એ માન. ૨૦.
ધર્મીજીવ, ગૃહસ્થ હોય તો પણ, જિનવરમાં ને પોતાના
શુદ્ધાત્મામાં નિશ્ચયથી કાંઈ ભેદ માનતો નથી; મોક્ષને અર્થે તે
પોતાના અંતરમાં પોતાના શુદ્ધાત્માને ધ્યાવે છે.
ભગવાનનો અને આ આત્માનો પરમ શુદ્ધસ્વભાવ સરખો
છે; પર્યાયમાં થોડોક ફેર છે, પરંતુ શુદ્ધ સ્વભાવનું ચિંતન કરતાં
પર્યાયનો ફેર તૂટવા માંડે છે.
પરમાત્મા જેવા પોતાના શુદ્ધસ્વરુપને ધ્યાવતાં – ધ્યાવતાં
સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર થઈને આત્મા પોતે પરમાત્મા બની
જાય છે. – આ જ નિર્વાણનો માર્ગ છે. ધર્મી કહે છે – અમે તે
માર્ગમાં ચાલી રહ્યા છીએ.
મોક્ષમાર્ગી સન્તોના આ સિંહનાદ છે,
મુમુક્ષુ તે ઝીલીને મોક્ષમાર્ગમાં દોડે છે.