Samyak Darshan Part 7 8 (Gujarati). Swanubhav Prasad.

< Previous Page   Next Page >


Page 37 of 237
PDF/HTML Page 50 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૩૭
ભગવંત પંચ પરમેષ્ઠીના પ્રસાદથી પ્રાપ્ત –
સ્વાનુભવ – પ્રસાદ
(સ્વભાવરસ – ઘોલન)
સ્વભાવરસનું ઘોલન કરીને આનંદમય સ્વાનુભવરસ
ચાખવાની રીત આમાં બતાવી છે. સમયસાર – પ્રવચનસાર
ઉપર પૂ. શ્રી કહાનગુરુના પ્રવચનના શ્રવણ વખતે, તેમજ પં.
શ્રી દીપચંદજી રચિત ‘અનુભવ પ્રકાશ’ પુસ્તકનું સ્વાધ્યાય –
મનન કરતી વખતે, ચેતનમય સ્વભાવરસ ઘૂંટતાં – ઘૂંટતાં આ
સુંદર રચના થઈ છે; તે મુમુક્ષુ – સાધર્મીઓને આનંદમય
ચૈતન્યરસનો મધુર સ્વાદ ચખાડશે.
આત્માને શુદ્ધસ્વરુપે અનુભવમાં લેવો તે મુમુક્ષુજીવનું કાર્ય છે.
અશુદ્ધઆત્માના ચિન્તનથી દુઃખ – પરિપાટી ઊભી થઈ છે.