Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 40 of 237
PDF/HTML Page 53 of 250

 

background image
૪૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
સંપ્રદાન – શક્તિ વડે આત્મા પોતાની પરિણતિને પોતાના
સ્વરુપમાં જ સમર્પણ કરે છે. અધિકરણ સ્વભાવને લીધે આત્મા
પોતાના ક્રમ – અક્રમરુપ સમસ્ત ગુણ – પર્યાયભાવોનો આધાર
એકસાથે થાય છે. તેની અખંડિતતા એવી છે કે એકસાથે ઘણા શુદ્ધ
ગુણ – પર્યાયોને ધારણ કરવા છતાં પોતે ખંડિત થતો નથી, એક –
અખંડ રહે છે....તેના ગુણ – પર્યાય વિખેરાઈ જતા નથી.
વળી અનેકપણું પણ આત્માનો સ્વભાવ છે, તેથી અનેક
ગુણપર્યાયરુપ તે પોતે જ છે. દ્રવ્ય જુદું, ગુણ જુદા, પર્યાય જુદી,
પ્રદેશો જુદા – એમ એક સત્તાને વિખેરી ન નાખો.....એક જ
વસ્તુપણે તે બધાને દેખો. દ્રવ્ય પણ તે, ગુણ પણ તે, પર્યાયરુપ
થનાર પણ તે, પ્રદેશો બધાના એક જ, – એમ અનંત
સ્વભાવવાળી એક વસ્તુને દેખો. તમારું સર્વસ્વ તમારામાં છે,
બહારમાં કાંઈ નથી.
– આમ જ્ઞાની અનંત વિશેષણો સહિત પૂર્ણ સ્વવસ્તુનો
પોતામાં અનુભવ કરે છે. અનંત ભાવસમ્પન્ન ગંભીરતા તે
સ્વાનુભવમાં છે; તેમાં અપાર તૃપ્તિ છે, મહાન શાંતિ છે.
એવો અનુભવ કેમ થાય? જ્ઞાનમાં પોતાની આત્મવસ્તુનો
મહાન રસ ભાસવો એ જ અનુભવની રીત છે. મારો આત્મરસ
અત્યંત મીઠો છે. નિજદ્રવ્ય-ગુણ-પર્યાયનું શુદ્ધસ્વરુપ જાણતાં તે
ઉપયોગમાં આત્માનો અગાધ મહિમા જણાય છે, ને આત્મઅનુભવ
થાય છે.
પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સર્વસ્વ પોતામાં ને પરના દ્રવ્ય-
ગુણ-પર્યાય સર્વસ્વ પરમાં.....
– એમાંથી કાંઈ કાઢી નાંખવાનું નથી કે નવું કંઈ ભેળવવાનું
નથી.