પોતાના ક્રમ – અક્રમરુપ સમસ્ત ગુણ – પર્યાયભાવોનો આધાર
એકસાથે થાય છે. તેની અખંડિતતા એવી છે કે એકસાથે ઘણા શુદ્ધ
ગુણ – પર્યાયોને ધારણ કરવા છતાં પોતે ખંડિત થતો નથી, એક –
અખંડ રહે છે....તેના ગુણ – પર્યાય વિખેરાઈ જતા નથી.
પ્રદેશો જુદા – એમ એક સત્તાને વિખેરી ન નાખો.....એક જ
વસ્તુપણે તે બધાને દેખો. દ્રવ્ય પણ તે, ગુણ પણ તે, પર્યાયરુપ
થનાર પણ તે, પ્રદેશો બધાના એક જ, – એમ અનંત
સ્વભાવવાળી એક વસ્તુને દેખો. તમારું સર્વસ્વ તમારામાં છે,
બહારમાં કાંઈ નથી.
સ્વાનુભવમાં છે; તેમાં અપાર તૃપ્તિ છે, મહાન શાંતિ છે.
અત્યંત મીઠો છે. નિજદ્રવ્ય-ગુણ-પર્યાયનું શુદ્ધસ્વરુપ જાણતાં તે
ઉપયોગમાં આત્માનો અગાધ મહિમા જણાય છે, ને આત્મઅનુભવ
થાય છે.