Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 41 of 237
PDF/HTML Page 54 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૧
બસ, આવી અત્યંત ભિન્નતા નક્કી કરી ત્યાં સ્વાશ્રિત
પરિણમનમાં શુદ્ધતા જ રહી. સ્વયમેવ વસ્તુ પોતે પોતાના
સ્વભાવમાં સુંદર છે, શોભતી છે, શુદ્ધ છે. આવા ભેદજ્ઞાનમાં
સ્વતત્ત્વની સુંદરતાનો અનુભવ થાય છે. તે જ સમ્યગ્દર્શન છે.....તે
જ માર્ગ છે. – આમ કરતાં જીવને આનંદ થાય છે, મોક્ષપરિણતિ
સાથે તેની સગાઈ થાય છે.....મોહ સાથેનું સગપણ છૂટીને
આનંદમય મુક્તિ સાથે સગાઈ થાય છે.
પહેલાં ‘હું મનુષ્ય, હું શરીર’ એવી માન્યતા હતી તે
માન્યતા ઉપયોગભૂમિમાં થઈ હતી; ઉપયોગ પોતે પોતાને ભૂલી
અશુદ્ધ સ્વાંગ ધરીને ‘હું બળદ, હું શરીર’ એમ માની બેઠો હતો.
ઉપયોગ પોતાના અસલી ઉપયોગ – સ્વાંગને ધારે તો અશુદ્ધતા
અને ભૂલ મટી જાય; જાણનાર પોતે પોતાને સાચા સ્વરુપે જાણે,
ઉપયોગધારી આનંદરુપ તો પોતે પ્રયત્ન વિના જ સહજ સ્વરુપથી
છે જ.....લોકસંગથી નીરાળો થઈને પોતે પોતાને નીહાળવાનો છે.
અરે! જણાય તે હું ને જાણનારો તે હું નહિ, – આવો ભેદ તે
શ્રદ્ધાય તે આત્મા, ને શ્રદ્ધા કરનાર આત્મા નહિ, કોણ માને?
આત્માને દેખનારો શુદ્ધનય પોતે આત્મા જ છે – ‘શુદ્ધનય
ભૂતાર્થ છે.’ ‘જ્ઞાયક’ને જાણનારો ભાવ જ્ઞાયકથી જુદો નથી, પોતે
‘જ્ઞાયક’ જ છે.
એક મનુષ્ય છે, તે બળદ જેવું રુપ ધારીને પૂછે છે કે ‘હું
મનુષ્ય ક્યારે થઈશ?’ – ભાઈ! તું મનુષ્ય જ છો, તું બળદ નથી.
તારી ભાષા, તારી ચેષ્ટા, તારું ખાનપાન વગેરે ઉપરથી તું જો કે તું
મનુષ્ય જ છો.....તેમ ઉપયોગસ્વરુપ જીવ પૂછે છે કે ‘હું
ઉપયોગસ્વરુપ ક્યારે થઈશ
?’ હે આત્મા! તું ઉપયોગસ્વરુપ છો
જ.....બીજારુપ થયો નથી. તારા પ્રશ્ન ઉપરથી, તારી જાણવાની
}