૪૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
ચેષ્ટાઓ ઉપરથી, તારા વેદન ઉપરથી, તું જો કે તું ઉપયોગસ્વરુપ
જ છો. ખોટા સ્વાંગ રાગાદિના ધરવા છોડી દે તો સ્વયમેવ
ઉપયોગસ્વરુપ તું છો જ.
✽ ઉપયોગસ્વરુપ આત્મા પ્રભુ – ચિદાનંદરાજા ✽
તેને ક્યા ગોતવો ? કઈ રીતે ગોતવો ?
પ્રથમ તો સર્વ લૌકિક સંગથી પરાઙ્મુખ થઈ જા.....ને
નિજવિચારને ચૈતન્યરાજાની સન્મુખ કર.....ત્રણ પ્રકારની
કર્મકંદરારુપ ગુફામાં તારો ચૈતન્યપ્રભુ છૂપાઈને બેઠો છે. શરીર
નોકર્મ, દ્રવ્યકર્મ અને રાગદ્વેષ – ભાવકર્મ એ ત્રણ ગુફાને
ઓળંગીને અંદર જતાં જ તારો પ્રભુ તને તારામાં દેખાશે. (તું
પોતાને જ પ્રભુરુપે અનુભવીશ.)
જ્ઞાન ચેતના