પલટી નાંખ.....‘‘ઊર્ધ્વગમન કર.’’ ઊર્ધ્વ = સિદ્ધાલય.
છે, તે જ તારું વિશ્રામસ્થાન છે.
છું’ એમ સ્વપદને સાધ્યું. ‘હું – હું’ એવી સ્વપદની આસ્તિક્યતા તે
સ્વરુપને સાધવાનું સાધન છે. ‘હું – હું’ એવા તે સ્વપદમાં શરીર
નથી, વચન નથી, રાગ કે દુઃખ પણ નથી, તે પદમાં તો સર્વત્ર
આનંદ અને ચેતના ભરી છે. – વારંવાર આવા સ્વપદને સ્વપદમાં
જ શોધ...પ્રાપ્ત છે તેની તને પ્રાપ્તિ થશે, અનુભૂતિ થશે.....ત્યાં
શક્તિસ્વભાવ વ્યક્તરુપ પોતે જ પરિણમી રહ્યો છે.
રાજાના તેજથી કાયર મનુષ્યો સંગ્રામ કર્યા વગર જ ભાગી જાય છે
અને જેમ સૂર્યના તેજ – પ્રતાપ પાસે અંધકાર પહેલેથી દૂર ભાગી
જાય છે; તેમ ચૈતન્યપરમાત્મા જ્યાં અપાર સ્વતેજના પ્રકાશથી
સ્ફૂરાયમાન થાય છે ત્યાં પરભાવો તેની સામે ઊભા નથી રહેતા,
લડયા વગર જ ભાગી જાય છે. ચૈતન્યપ્રભુનો પ્રતાપ કોઈ અનેરો
છે.....અનુપમ છે.