Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 63 of 237
PDF/HTML Page 76 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૬૩
કરો.....ને ચૌદ પગથિયાની આ સીડીના ચોથા પગથિયા પર પગ
મૂકીને જુઓ કે મહેલમાં શું શું ભર્યું છે
!!
અહા, અહીં તો કોઈ અલૌકિક આનંદ – નિધાન ભર્યા
છે.....જ્ઞાનનો તો પાર નથી, સમ્યક્ત્વરત્નનો મહાન પ્રકાશ સર્વત્ર
અજવાળાં ફેલાવી રહ્યો છે.....શાંતિ તો એવી છે કે જરાય કોલાહલ
નથી. કર્મનો કચરો તો જરાય છે જ નહિ; અપૂર્વ સમતા સર્વત્ર
પ્રસરી રહી છે. મોક્ષમહેલમાં અનંતા સિદ્ધભગવંતોની આટલી બધી
વસ્તી, છતાં ત્યાં ક્લેશ નથી, દુઃખ નથી, કોઈ નાનું – મોટું નથી,
કોઈ અછત નથી, પરમ તૃપ્તિ છે.....બસ, મારે મારા આ
મોક્ષમહેલમાં જલ્દી પહોંચી જવું છે. આ સંસાર સાથે હવે મારે
કાંઈ સંબંધ રાખવો નથી. આ ચેતન – દેહ ઝૂંપડું રહો કે ન રહો,
અમે કાંઈ તેના રહેવાસી નથી.
કુંદકુંદસ્વામી ભાવપ્રાભૃત ગા. ૧૩૨ માં કહે છે કે –
આ શરીરઝૂંપડું વૃદ્ધતા – રોગાગ્નિથી ઝટ બળી જશે,
વળી ઇંદ્રિયો બળહીન થશે, ઝટ સાધી લે નિજઆત્મને.
મને લાગ્યો સંસાર અસાર.....
એ.....રે.....સંસારમાં નહીં રહું.....નહીં રહું.....નહીં રહું રે.
મને લાગ્યું છે સિદ્ધપદ સાર.....
મુક્તિ – મહેલમાં હું ઝટ જાઉં....ઝટ જાઉં.....ઝટ જાઉં રે...
સ્વપદને ઓળખી તેમાં રહેવું તે મુશ્કેલ નથી, સુગમ છે,
પોતાનું જ સ્વરુપ હોવાથી તે સહજ છે. શરીરાદિ પર – પદ
અચેતન જડ, તે રુપે હું છું – એમ પરપદરુપે પોતાને માની –
માનીને અનંતકાળથી થાક્યો, છતાં તે પરપદરુપે થયો નહિ,
ચેતનરુપે જ રહ્યો. માટે પરપદ મુશ્કેલ છે, કોઈ રીતે પોતાનું થતુ
નથી. અરે જીવ
! સ્વપદથી બહાર પરપદમાં હજી ક્યાં સુધી તારે