Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 64 of 237
PDF/HTML Page 77 of 250

 

background image
૬૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
ભટકવું છે!! બસ કર.....બસ કર.....સ્વપદમાં આવ.....સ્વપદમાં
આવ...ને સુખી થા.
હે ચેતનરાજા! નવ – નિધાન પણ દરિદ્ર થઈને તારા ચૈતન્ય
નિધાનની પાછળ ભમે છે; ચક્રવર્તીનાં ચૌદ રત્નો પણ તારા
રત્નત્રયની સેવા કરે છે. આવા તારા નિજવૈભવના
અવલોકનમાત્રથી તું પરમેશ્વર થઈશ.
પરભાવો હું નથી, પણ તેમાં સર્વત્ર જે ચેતનભાવ વસી
રહ્યો છે તે મારું નિજસ્વરુપ છે. ચેતનભાવ અનાદિ – અનંત
એકરસમય છે. બીજા કલુષ રસને એમાં ન ભેળવો તો ચેતનરસ
એકલો અત્યંત મધુર વીતરાગ સ્વાદવાળો છે. – આ શુદ્ધચેતના
થઈ. કર્મફળ – ચેતના અને કર્મ – ચેતના તે બંને અશુદ્ધ હોવા
છતાં તેમાં પણ ચેતના રહેલી તો છે જ. તે ચેતનાનું ચેતનાપણું
ઓળખતાં રાગાદિ પરભાવોથી નિજભાવનું ભેદજ્ઞાન થાય છે, ને
જ્ઞાતા – દ્રષ્ટાસ્વભાવી જીવ અનુભવમાં આવે છે. અહો, એ
અનુભવની શી વાત
!! અતીન્દ્રિય આનંદરુપ એનો પ્રકાશ છે.
જ્ઞાનચેતના શુદ્ધ થતાં હું હવે જાગ્યો.....મોહભાવ ભાગ્યો. હું મારા
સ્વરુપ – હાથી ઉપર આરુઢ થયો. અનુભવમાં આવું વેદન છે પણ
વિકલ્પ નથી, ભેદ નથી, વિચાર નથી.....આત્મપરિણમન જ તેવું
વર્તે છે. ત્યાં તે પરિણમતો – આત્મા પોતે જ સાધક – સાધ્ય
અભેદ છે, એનાથી બહાર સાધક કે સાધ્ય નથી.
અનુભૂતિમાં દ્રવ્ય – ગુણ – પર્યાય ત્રણેય સ્વભાવજાતિરુપ
થવાથી એકપણે અનુભવાય છે. સ્વભાવ – સંગથી ને સ્વભાવ –
રંગથી સમ્યક્ત્વ, શુદ્ધોપયોગ, જ્ઞાન, આનંદ વગેરે બધા
સ્વભાવભાવો ખીલી જાય છે. થોડીક પણ શુદ્ધતા પૂર્ણ શુદ્ધતાને
પ્રસિદ્ધ કરે છે; થોડોક પણ ચૈતન્યરસ પૂર્ણ ચૈતન્યસ્વભાવને પ્રસિદ્ધ
કરે છે; થોડોક પણ વીતરાગી આનંદ પૂર્ણ આનંદસ્વભાવને પ્રસિદ્ધ