પકડીને સદાય જ્ઞાન – વૈરાગ્યમાં અમને જાગૃત રાખે છે. તે
વારંવાર સ્વરુપભાવના કરાવી – કરાવીને સંસારદુઃખથી બીવડાવે
છે ને મોહભાવોમાંથી અમારું રક્ષણ કરીને અમને મોક્ષમાર્ગમાં
સદાય ઉત્સાહિત કરે છે; મોક્ષમાર્ગ અને મોક્ષનું સ્વરુપ તે સદાય
અમને બતાવ્યા કરે છે.
દર્શન એ સાક્ષાત મોક્ષમાર્ગનું જ દર્શન છે. આપના અંતરમાં
ભગવાન વસી રહ્યો છે, આપના શ્રીમુખમાં જિનવાણી વસી રહી
છે, અને રત્નત્રયસ્વરુપ તો સ્વયં આપ પોતે જ છો, તેથી દેવ –
ગુરુ – શાસ્ત્ર – ધર્મ બધુંય આપમાં એકમાં જ સમાઈ જાય છે.
આપ ભવભોગથી સર્વથા ઉદાસ થઈને નિજસ્વરુપની સાધનામાં જ
તત્પર છો.....વારંવાર શુદ્ધોપયોગી થઈ – થઈને જાણે સિદ્ધોના
દેશમાં જઈ આવો છો.....ને પુન: અમને તેડવા માટે પાછા આવો