છે તેથી તે પોતાનું કાર્ય કરી શકતો નથી. – હા, એટલું ખરું કે
શુભને લીધે તેને શુભનિમિત્તો મળ્યા કરશે, તેથી ભવિષ્યમાં
‘કદાચિત્’ આગળ વધીને તે સ્વકાર્ય સાધવા તૈયાર થશે તો તે વખતે
તેમાં સાતિશયપણું આવી જશે.
જરુર પોતાના સ્વભાવને સાધે જ છે. એ ધ્યાન રાખવું કે ‘શુભ –
ઉપયોગ’ તેમાંથી સાધકપણું ‘ઉપયોગ’માં છે, ‘શુભ’માં નહીં.
શુભરાગ અને ઉપયોગ બંને ભિન્ન ભિન્ન (એકબીજાથી વિરુદ્ધ)
કાર્ય કરે છે. તેમાં ઉપયોગ જ્યારે રાગ કરતાં બળવાન હોય ત્યારે
તેને ‘સાતિશય’ કહીએ છીએ.
હોય, એટલે કે ઉપયોગની અધિકતા ને શુભરાગથી ભિન્નતાનું લક્ષ
વર્તતું હોય, તો તે શુભોપયોગ સાતિશય છે, – સમ્યક્ત્વ સાથે તે
સંબંધવાળો છે. શુભોપયોગનું આ સાતિશયપણું બે પ્રકારે છે –
સાતિશયપણું એટલા માટે કહ્યું કે તે રાગની સાથે તે કાળે જે
ઉપયોગ છે તે, રાગ કરતાં અધિક – બળવાન થયો છે. રાગ કરતાં
તેની વિશેષતા છે – અતિશયતા છે, તેથી તે ઉપયોગની અપેક્ષાએ
તે શુભોપયોગમાં સાતિશયપણું આવે છે. આવી અતિશયતા ઉચ્ચ