Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 69 of 237
PDF/HTML Page 82 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૬૯
નથી, ઉપયોગ રાગમાં દબાઈ રહ્યો છે – તેમાં એકાકાર વર્તી રહ્યો
છે તેથી તે પોતાનું કાર્ય કરી શકતો નથી. – હા, એટલું ખરું કે
શુભને લીધે તેને શુભનિમિત્તો મળ્યા કરશે, તેથી ભવિષ્યમાં
‘કદાચિત્’ આગળ વધીને તે સ્વકાર્ય સાધવા તૈયાર થશે તો તે વખતે
તેમાં સાતિશયપણું આવી જશે.
‘ઉપયોગમાં’ સાતિશયપણું આવ્યા વગર તે પોતાના
સ્વભાવને સાધી શકે નહિ. જે ઉપયોગમાં સાતિશયપણું આવે તે
જરુર પોતાના સ્વભાવને સાધે જ છે. એ ધ્યાન રાખવું કે ‘શુભ –
ઉપયોગ’ તેમાંથી સાધકપણું ‘ઉપયોગ’માં છે, ‘શુભ’માં નહીં.
શુભરાગ અને ઉપયોગ બંને ભિન્ન ભિન્ન (એકબીજાથી વિરુદ્ધ)
કાર્ય કરે છે. તેમાં ઉપયોગ જ્યારે રાગ કરતાં બળવાન હોય ત્યારે
તેને ‘સાતિશય’ કહીએ છીએ.
હવે એ જ ત્રણ પ્રકાર ૧ – ક્રિયા, ૨ – ભક્તિ, ૩ –
વિચાર, – તે વખતે જો ઉપયોગસ્વરુપ આત્મા ‘લક્ષગત’ વર્તતો
હોય, એટલે કે ઉપયોગની અધિકતા ને શુભરાગથી ભિન્નતાનું લક્ષ
વર્તતું હોય, તો તે શુભોપયોગ સાતિશય છે, – સમ્યક્ત્વ સાથે તે
સંબંધવાળો છે. શુભોપયોગનું આ સાતિશયપણું બે પ્રકારે છે –
(૧) સમ્યક્ત્વની પૂર્વતૈયારી વખતનું; (૨) સમ્યક્ત્વ
સહિતનું.
શુભોપયોગ = શુભ + ઉપયોગ; તેમાં જે ‘શુભ’ રાગ છે
તેની તો કાંઈ વિશેષતા નથી, તે તો રાગ જ છે; પણ ત્યાં
સાતિશયપણું એટલા માટે કહ્યું કે તે રાગની સાથે તે કાળે જે
ઉપયોગ છે તે, રાગ કરતાં અધિક – બળવાન થયો છે. રાગ કરતાં
તેની વિશેષતા છે – અતિશયતા છે, તેથી તે ઉપયોગની અપેક્ષાએ
તે શુભોપયોગમાં સાતિશયપણું આવે છે. આવી અતિશયતા ઉચ્ચ