પછીના શુભોપયોગમાં પણ તે હોય છે.
સમ્યક્સ્વભાવને તે પકડી લેશે; તે શુભરાગમાં અટકી નહીં રહે. તેને
રાગ કરતાં ઉપયોગનું બળ ક્ષણે ક્ષણે વધી રહ્યું છે. – આવું આત્મ-
બળ નિરતિશય ઉપયોગમાં નથી, તે તો રાગથી દબાઈ ગયેલ છે.
સમ્યક્ પરિણમન, તેવો પુરુષાર્થ, દેશનાલબ્ધિ, કાળલબ્ધિ,
કર્મઅભાવ વગેરે નિમિત્તો, – એ બધાયે એકસાથે જ પોતપોતાનું
કામ કર્યું છે. – એ બધાનું એકસાથે જ્ઞાન કરવું જોઈએ. એકનો
સ્વીકાર ને બીજાનો નિષેધ – એમ નહિ, પ્રસંગ અનુસાર મુખ્ય –
ગૌણ ભલે થાય. (તત્ત્વાર્થ રાજવાર્તિક અ. ૧ સૂત્ર ૩ ની ટીકામાં
આ સંબંધી પ્રકરણ છે.)
તલવાર, પુરુષાર્થવડે પ્રહાર કરવામાં આવતાં મોહશત્રુને છેદી નાંખે
છે. માટે હે ભવ્ય
સ્વાનુભૂતિનું જ સાધન બનાવ. – તો જ તું જિનવાણીનો સાચો
સેવક છો. એ જ રીતે ગુરુને અને ભગવાનને પણ વીતરાગ ભાવમાં
જ નિમિત્ત બનાવ.