Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 71 of 237
PDF/HTML Page 84 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૧
દેવ – શાસ્ત્ર – ગુરુની સાચી પ્રતીતિ – ઓળખાણ અવશ્ય
આત્મતત્ત્વની પ્રતીતિ કરાવીને સમ્યક્ત્વ પમાડે છે.
પરદયાથી (રાગથી) વ્યવહાર ધર્મ સધાય છે, સ્વધર્મ
નહીં. સ્વદયાથી (વીતરાગતાથી) નિજધર્મ સધાય છે ને પરમસુખ
પમાય છે.
નય – જ્ઞાન સાધક છે, અનેકાન્ત – પ્રમાણ સાધ્ય છે;
માટે નય વડે એકેક ધર્મને પકડીને અટકી ન જવું, અનેકાન્ત
સાધવો.
આજે નિજસ્વરુપ સાધવું કઠણ છે – એમ કહીને તેની
સાધના છોડી ન દઈશ. જે ન સાધે તેને તો ત્રણેકાળે કઠિન જ છે.
જે સાધે તેને અત્યારે પણ સુગમ છે. આજે જ સાચા દિલથી સાધવા
લાગી જા.....તારે માટે આજે પણ સુગમ છે.
અરે, વેપાર – ધંધા વિષય – કષાય કરવા સુગમ, અને
સ્વરુપનો અનુભવ કરવો દુર્ગમ – એમ કહીને, સ્વરુપનો અભ્યાસ
છોડી વિષયકષાય કરતાં તને શરમ નથી આવતી
? વિષય – કષાયો
ને ઘર – ધંધાનો પાપરસ છે તે છોડીને ચૈતન્યનો રસીલો થા, –
પછી જોઈ લે કે આત્માનો અનુભવ કેવો સુગમ છે
!! બાપુ! એમાં
રસ લીધા વગર અનુભવ ક્યાંથી થશે? આત્માનો રસ લગાડી એની
પાછળ લાગ.....તો જરુર તને સ્વાનુભવ થશે. અનેક સંતોએ નાની
– નાની ઉંમરમાં, પ્રતિકૂળતાની વચ્ચે પણ એવો અનુભવ કર્યો છે.
તું પણ હવે કર. અત્યાર સુધી તો ભૂલ્યો પણ હવે ગુરુપ્રતાપે
જૈનધર્મ પામીને જાગ. સંસારના બીજા કામોમાં ચતુરાઈ કરે છે –
તો આત્માને સાધવાના કામમાં ચતુરાઈ કર. નવરો થઈ – થઈને
વિકથા કર્યા કરે છે તે છોડીને દિન – રાત હોંશે – હોંશે આત્માની
કથા કર....તેના અનુભવની વાર્તા સંતો પાસે જઈ – જઈને પૂછ્યા