પણ ત્યારે જ પ્રગટયું. અપૂર્વ મહા આનંદ થયો. એ અનુભવદશાનાં
ઘણાં નામ છે. આત્માના સ્વાદરુપ આનંદઅનુભવ તે મુખ્ય છે,
સર્વગુણનો મીઠો રસ એ અનુભવમાં સમાઈ જાય છે.
સ્વાનુભવ રહેવાનો કાળ વધુ છે, ને થોડા જ કાળના અંતરે થાય છે;
મુનિવરોને સ્વાનુભવ દીર્ઘ અંતર્મુહૂર્ત સુધી રહે છે ને બહુ થોડા
કાળના અંતરે વારંવાર થયા કરે છે.
જોવામાં આવ્યું નથી; તથા વર્તમાનગોચર સ્વાનુભવી –
સાધર્મીજનો સાથે આ વિષયની ચર્ચાથી પણ તે કાળનું કોઈ ચોક્કસ
પ્રમાણ નિશ્ચિત થઈ શક્યું નથી. પણ આ સંબંધમાં એક વિશેષતા
મુમુક્ષુઓએ ખાસ જાણવાયોગ્ય – સમજવાયોગ્ય મહત્ત્વની છે કે –
સ્વાનુભૂતિના નિર્વિકલ્પકાળમાં જે સમ્યક્ત્વ થયું છે, તે સમ્યક્ત્વ,
સ્વાનુભૂતિ બહાર બીજે ઉપયોગ વખતે પણ સમ્યગ્દ્રષ્ટિને એવું ને
એવું ટકી રહે છે; સમ્યગ્જ્ઞાનચેતના ચાલુ જ રહે છે; તે સમ્યગ્દર્શન
અને જ્ઞાનચેતના તો તે વખતેય વિકલ્પ વગરના, નિર્વિકલ્પ છે,
વિકલ્પથી જુદું જ તેનું પરિણમન વર્તી રહ્યું છે.....અતીન્દ્રિયસુખનું
પરિણમન પણ ચાલી જ રહ્યું છે. શ્રદ્ધા – જ્ઞાન – સુખના આ બધા
નિર્વિકલ્પચૈતન્યભાવોને તમે ઓળખતા શીખો તો જ સમ્યગ્દ્રષ્ટિને
તમે ઓળખી શકશો.....ને ત્યારે, સમ્યગ્દ્રષ્ટિમાં વિકલ્પદશા ને
નિર્વિકલ્પદશા વચ્ચે તમને જે મોટો ભેદ દેખાય છે તે મટી
જશે.....તમને વિકલ્પ અને જ્ઞાન જુદા પાડતાં આવડી જશે.