Samyak Darshan Part 7 8 (Gujarati). Swanubhav No Kaal Teni Odkhan.

< Previous Page   Next Page >


Page 73 of 237
PDF/HTML Page 86 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૩
નિર્વિકલ્પતા છે. આવી દશામાં સમ્યક્ત્વ ઊપજ્યું.....સમ્યગ્જ્ઞાન
પણ ત્યારે જ પ્રગટયું. અપૂર્વ મહા આનંદ થયો. એ અનુભવદશાનાં
ઘણાં નામ છે. આત્માના સ્વાદરુપ આનંદઅનુભવ તે મુખ્ય છે,
સર્વગુણનો મીઠો રસ એ અનુભવમાં સમાઈ જાય છે.
સ્વાનુભવનો કાળ ચોથા ગુણસ્થાને લઘુઅંતર્મુહૂર્ત છે, ને
તે લાંબા કાળના અંતરે થાય છે; તેનાથી પાંચમાગુણસ્થાને
સ્વાનુભવ રહેવાનો કાળ વધુ છે, ને થોડા જ કાળના અંતરે થાય છે;
મુનિવરોને સ્વાનુભવ દીર્ઘ અંતર્મુહૂર્ત સુધી રહે છે ને બહુ થોડા
કાળના અંતરે વારંવાર થયા કરે છે.
ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ ફરી ફરી કેટલા
કાળના અંતરે થાય – તે બાબત કોઈ ચોક્કસ માપ આગમમાં
જોવામાં આવ્યું નથી; તથા વર્તમાનગોચર સ્વાનુભવી –
સાધર્મીજનો સાથે આ વિષયની ચર્ચાથી પણ તે કાળનું કોઈ ચોક્કસ
પ્રમાણ નિશ્ચિત થઈ શક્યું નથી. પણ આ સંબંધમાં એક વિશેષતા
મુમુક્ષુઓએ ખાસ જાણવાયોગ્ય – સમજવાયોગ્ય મહત્ત્વની છે કે –
સ્વાનુભૂતિના નિર્વિકલ્પકાળમાં જે સમ્યક્ત્વ થયું છે, તે સમ્યક્ત્વ,
સ્વાનુભૂતિ બહાર બીજે ઉપયોગ વખતે પણ સમ્યગ્દ્રષ્ટિને એવું ને
એવું ટકી રહે છે; સમ્યગ્જ્ઞાનચેતના ચાલુ જ રહે છે; તે સમ્યગ્દર્શન
અને જ્ઞાનચેતના તો તે વખતેય વિકલ્પ વગરના, નિર્વિકલ્પ છે,
વિકલ્પથી જુદું જ તેનું પરિણમન વર્તી રહ્યું છે.....અતીન્દ્રિયસુખનું
પરિણમન પણ ચાલી જ રહ્યું છે. શ્રદ્ધા – જ્ઞાન – સુખના આ બધા
નિર્વિકલ્પચૈતન્યભાવોને તમે ઓળખતા શીખો તો જ સમ્યગ્દ્રષ્ટિને
તમે ઓળખી શકશો.....ને ત્યારે, સમ્યગ્દ્રષ્ટિમાં વિકલ્પદશા ને
નિર્વિકલ્પદશા વચ્ચે તમને જે મોટો ભેદ દેખાય છે તે મટી
જશે.....તમને વિકલ્પ અને જ્ઞાન જુદા પાડતાં આવડી જશે.