– પણ આનંદની ધારા અને મોક્ષની સાધના તો ચાલુ જ રહે છે.
સાતમું ગુણસ્થાન આવે – એટલે છઠ્ઠાગુણસ્થાનનો કાળ ૦।। સેકંડથી
વધુ ન જ હોય ને સાતમાનો તેનાથી પણ અડધો હોય
અનુભવ – યુક્તિથી પણ તે સત્ય ભાસતી નથી. ચોથા – પાંચમા
ગુણસ્થાને પણ સ્વાનુભવ કરનાર જાણે છે કે અનુભૂતિનો કાળ
વિશેષ છે. – તો મુનિવરોની સ્વાનુભૂતિનો કાળ તો અમારાથી પણ
વિશેષ હોય જ છે. જીવ અડધી સેકંડથી વધુકાળ છઠ્ઠાગુણસ્થાનમાં
રહે તો તેને મુનિદશા જ ન રહે – એમ માનવામાં અજાણપણે પણ
મુનિભગવંતોનો અવર્ણવાદ થઈ જાય છે.
સ્વાનુભવ કરી લે. સ્વાનુભવ તે જ સ્વસમય છે, તે જ જીવનું
જીવન છે; સ્વાનુભવમાં જ શાંતિ છે, તેમાં જ તૃપ્તિ છે; સ્વાનુભવ
તે જ કલ્યાણ છે, તે જ મોક્ષરાહ છે; જૈનધર્મ પામવાની સફળતા
સ્વાનુભવથી જ છે. સ્વાનુભવ થતો હોય તો મૃત્યુનેય ગણકારીશ
નહિ, કે માન – અપમાન જોવા રોકાઈશ નહીં. સ્વાનુભવ જેવું
સન્માન બીજું કોઈ નથી, એના જેવી મોટાઈ બીજે ક્યાંય નથી.