કોઈની ગુલામી કરવી પડતી નથી. વાહ રે વાહ
આવે છે તે સ્વાનુભવનો સાક્ષાત્ આનંદ કેવો મજાનો હશે
રહેવાનો ઉદ્યમ રાખ્યા કર.
વડે જેમ જેમ વિશુદ્ધતા વધે તેમ તેમ સુખ વધતું જાય છે.
મતિશ્રુતજ્ઞાનની સ્વસન્મુખ ધારા વધતાં સ્વસંવેદનરસ વધતો જાય
છે. આ રીતે સ્વાનુભવ તે અનંત સુખનું મૂળ છે. સવિકલ્પ અને
નિર્વિકલ્પ બંને પ્રકારનાં ચારિત્રપરિણામ ધર્મી જીવે પોતામાં દીઠાં
છે ને તેનો સ્વાદભેદ જાણ્યો છે. તેથી જેમ પરિણામની સ્થિરતા વધે
તેમ ઉદ્યમ રાખે છે.....ને વિકલ્પપરિણામ રહી જાય તોપણ પોતાની
સમ્યક્ત્વ – ચેતનાને વિકલ્પથી અલિપ્ત જ રાખીને બેઠો હોવાથી
તે ગભરાતો નથી, નિજ – સ્વાનુભવમાં શંકાશીલ થતો નથી.
જે વિશેષતા છે તે બધી વિશેષતા સ્વાનુભવમાં સિદ્ધ થઈ જાય છે.
સ્વાનુભૂતિમાં સિદ્ધ પરમાત્મા અને આ આત્મા વચ્ચે કોઈ જ
તફાવત દેખાતો નથી.
યાતેં અનુભવ સારિખો, ઓર દૂસરો નાંહી.
પંચ પરમગુરુ જે થયા, ને થાશે જગમાંહિ,
તે અનુભવ – પ્રસાદથી, એમાં ધોખો નાંહી.