છે.....સ્વાનુભવનો આનંદ સિદ્ધભગવાન જેવો છે. અનાદિથી
આત્મ પ્રદેશ ઉપર બેઠેલા આઠકર્મો સ્વાનુભવ થતાં ભાગી જાય છે.
સ્વાનુભવીને કર્મો પોતાનું ફળ આપી શકતા નથી; નવાં કર્મો
બંધાતાં નથી. કર્મો કદાચિત આવે તો તે સ્વાનુભવીની સેવા કરવા
જ આવે છે. સ્વાનુભવીને કોઈ ભયો રહ્યા નથી કે જગત પાસેથી
કાંઈ લેવાની વાંછા નથી. સ્વાનુભવીએ રત્નત્રયને પોતાના સ્વજન
બનાવ્યા છે, તેનો પરમ પ્રેમ છે.
થયા, હવે એનો સંગ છોડો ને તમારી પ્રભુતા સંભારો. આ શરીર
જડ – મડદું તે હું છું એટલે કે હું મડદું છું – એમ કહેતાં તમને
શરમ નથી આવતી
નથી. રાગ – દ્વેષ – ક્રોધ થઈ – થઈને મરી ગયા, છતાં તમે કાંઈ
મરી નથી ગયા, તમે તો આ જીવતા રહ્યા. તો જીવંતભાવને –
ચેતનભાવને દેખો – અનુભવો, તમારું મરણ કદી નહીં
થાય.....અમરપદને પામી જશો.