પરવસ્તુને તેં જાણી, આજે તે વસ્તુ તો ચાલી ગઈ છતાં તેનું જ્ઞાન
તારામાં રહ્યું છે.....તે જ્ઞાન ક્યાં રહ્યું છે
અત્યારે તને ‘જ્ઞાન’ છે – પણ તેવો ક્રોધ જ્ઞાન સાથે અત્યારે થતો
નથી; આ રીતે ક્રોધ અને જ્ઞાન જુદા છે; એમ નક્કી કરીને,
ક્રોધાદિથી જુદા ચેતનરુપ ઉપયોગભાવને શોધી લે. (તારામાં જે
વેદાઈ જ રહ્યો છે તે ભાવને ઓળખી લે.) એટલે તારી વસ્તુ તને
જડી જશે – સ્વસંવેદનમાં આવી જશે.
જાતની જ કોઈ શાંતિ ઝાંખી – ઝાંખી વેદાય છે.....ઝાંખી – ઝાંખી
હોવા છતાં આવી શાંતિ તેં પહેલાં કોઈ વસ્તુમાં વેદી ન હતી.....તો
આવી શાંતિનું વેદન ક્યાંથી આવે છે
જ તું પોતે જ છો; તારામાં જ એ બધી ક્રિયાઓ થાય છે. તારી વસ્તુ
મહાન શાંતિથી ભરેલી છે, એટલે તેનો વિચાર કરતાં પણ તે શાંતિની
સુગંધ આવવા માંડે છે.....એ શાંતિનો દોર પકડીને ઊંડે – ઊંડે
ચાલ્યો જા તો શાંતિનો આખો સમુદ્ર તારામાં ઊછળતો તને દેખાશે.
થોડી વાર લાગે તો ગભરાઈને પાછો આવીશ મા.....અમે જોયેલી
વસ્તુ તને બતાવીએ છીએ; કોઈ કલ્પિત વસ્તુનું વર્ણન નથી કરતા.
ઉપયોગરુપ થઈને બધાને જાણે છે. ‘હું જાણું છું’ એવું જાણપણું
જીવ વગર કેમ હોય