થાય છે કે આત્મા રાગસ્વરુપ નથી. આવું મારું સ્વરુપ સમજતાં હું
પણ રાગ મટાડીને વીતરાગ થઈશ. આમ રાગ અને આત્મસ્વરુપનું
ભેદજ્ઞાન તે પરમાત્માના દર્શનનું સત્ફળ છે.
આવા અરિહંત પરમાત્મા મનુષ્યલોકમાં સદાય વિદ્યમાન વિચરે છે,
મોક્ષમાર્ગ પણ જગતમાં સદાય છે; ને તે મોક્ષમાર્ગમાં ચાલનારા
મુમુક્ષુઓ પણ સદાય છે. વીરપ્રભુનું શાસન પામીને હું પણ
મોક્ષમાર્ગના આ પ્રવાહમાં જોડાઈ ગયો છું. પ્રવાહધારા અખંડ છે
– નવા નવા જીવો તેમાં જોડાતા જાય છે. તમે પણ આવો ને પ્રભુના
માર્ગમાં જોડાવ.
અજ્ઞાનપરિણામ ક્યાંથી થાત
રાગમય નથી પણ વીતરાગસ્વભાવી છો, તેથી રાગ મટીને
વીતરાગતા થઈ જાય છે; તેમ તમે પોતાને જ્ઞાનસ્વભાવી જાણો તો
અજ્ઞાન કાંઈ છે જ નહીં. ‘અજ્ઞાન’ એ કોઈ શક્તિ નથી, શક્તિ તો
‘જ્ઞાન’ છે; – તેને સંભાળો. જ્ઞાનમાં અજ્ઞાન નથી. જો કે જ્ઞાન
વિના અજ્ઞાન નથી પરંતુ અજ્ઞાન વિના તો જ્ઞાન છે. – માટે