પરજ્ઞેયના ઉત્પાદ – વ્યય – ધ્રુવ દ્રવ્ય – ગુણ – પર્યાય પરમાં જ છે.
મારો કોઈ અંશ પરમાં, કે પરનો કોઈ અંશ મારામાં નથી, તેથી
સમસ્ત પરજ્ઞેયો પ્રત્યે મને અત્યંત ઉદાસીનતારુપ સમભાવ છે,
મારા સ્વજ્ઞેયરુપ જ્ઞાનતત્ત્વમાં જ હું અત્યંત તૃપ્ત સંતુષ્ટ છું.
ગાથા ૧૯૨ – ૧૯૩ માં સમજાવીને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિનો
ઉપાય બતાવ્યો છે : –
માનું હું આલંબન રહિત જીવ શુદ્ધ નિશ્ચલ ધ્રુવ છે.
લક્ષ્મી, શરીર, સુખ – દુઃખ અથવા શત્રુ – મિત્ર જનો અરે
તત્ત્વથી સર્વથા જુદું અનુભવાય છે; એ જ રીતે રાગરુપ પુણ્ય –
પાપ – આસ્રવ – બંધતત્ત્વો મારા શુદ્ધ જીવતત્ત્વથી જુદા રહી જાય
છે, ને ચેતનારુપ સંવર – નિર્જરા – મોક્ષ તત્ત્વો મારા શુદ્ધતત્ત્વમાં
અભેદ અનુભવાય છે; આ રીતે નવતત્ત્વોનો વિભાગ થતાં
ભૂતાર્થપણે મારું એક શુદ્ધ – જીવતત્ત્વ જ ચૈતન્યભાવમય પ્રકાશે
છે. એ અનુભૂતિ ઇન્દ્રિયાતીત છે, એમાં મને મારા આત્મા સિવાય
બીજા કોઈનું અવલંબન નથી; આવા મારા સ્વતત્ત્વનો મને કદી
વિયોગ નથી, તેથી મારે માટે હું પોતે ધ્રુવ છું; સર્વ સ્વભાવસંપન્ન
હું મહાન પદાર્થ છું. શુદ્ધાત્મતત્ત્વની આવી ભાવનાથી સમ્યક્ત્વાદિ
શુદ્ધતારુપ પરિણમન થાય છે.