Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 90 of 103
PDF/HTML Page 102 of 115

 

background image
૯૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જેમ કોઈ પુરુષ (મકાનની) અંદર બેસીને વીણા
બજાવતો હતો ત્યાં કોઈ બીજા પુરુષે તો તેને સાક્ષાત્ દેખ્યો
નથી, પરંતુ વીણાનો નાદ યથાર્થરૂપ સાંભળી તેણે એવો નિશ્ચય
કર્યો કે
અહીં કોઈ ચતુર, વાજીંત્ર વગાડવાવાળો છે; તે જ
પ્રમાણે અહીં પણ સર્વજ્ઞને સાક્ષાત્પ્રત્યક્ષ તો દીઠા નથી, પરંતુ
આ સાચા ઉપદેશરૂપ સાધનથી સર્વજ્ઞની સમાનરૂપ સત્તા સિદ્ધ
કરી. તથા એવા સર્વજ્ઞને નિમિત્ત જોઈએ તો નિર્ણયસ્થાન નિશ્ચય
(પ્રકરણ)માં લખીશું. અહીં કોઈ પ્રશ્ન કરે કે
અનાદિનિધનશ્રુત
છે તે જ છે, તેને તો વાંચેસાંભળે તેને જ્ઞાન થઈ જાય એનાથી
સર્વજ્ઞવક્તા કેવી રીતે સિદ્ધ કર્યા? તેનો ઉત્તરઃ
જો પદાર્થ પણ અનાદિનિધન છે તથા વસ્તુઓમાં
નામાદિક કહેવાં પણ અનાદિનિધન છે, તેથી કર્તા તો તેનો કોઈ
સર્વથા છે જ નહિ, પરંતુ પ્રથમ તો ન્યાયશાસ્ત્રોમાં
વચનસામાન્યને પણ પૌરુષેયપણું સિદ્ધ કર્યું છે અને
અપૌરુષેયામ્નાયનો નિષેધ કર્યો છે. કારણ કે
આ ઉપદેશરૂપ
વાક્ય કોઈ પુરુષના આશ્રયવિના પ્રવર્તે નહિ; શબ્દ પુદ્ગલની
પર્યાય છે, તે જીવના આશ્રય વિના જ પ્રવર્તે છે. શ્લોકવાર્તિકમાં
પણ કહ્યું છે કેઃ
અર્થ :સૂક્ષ્માદિ પદાર્થોનો ઉપદેશ તે પદાર્થોને સાક્ષાત્
(પ્રત્યક્ષ) જાણનાર દ્વારા જ હોઈ શકે. કારણ કે તે (સૂક્ષ્માદિ
પદાર્થોનું જ્ઞાન) પરોપદેશ, લિંગ અને ઇંદ્રિયોથી નિરપેક્ષ છે અને
સત્ય છે.