Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 91 of 103
PDF/HTML Page 103 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૧
नैकान्ताकृत्रिमाम्नायमूलत्वेस्य प्रमाणता
तद्व्याख्यातुरसर्वज्ञे रागित्वे विप्रलंभनात् ।।।।
(પ્ર. અ. પાનું ૭)
તમે સર્વથા અકૃત્રિમઆમ્નાય કહો છો પણ તેની
પ્રમાણતા નથી, તેથી એ આમ્નાયનો મૂળવ્યાખ્યાતા માનવા
યોગ્ય છે. તથા જો અજ્ઞાની
રાગીદ્વેષીને વ્યાખ્યાતા માનવામાં
આવે તો તેના કહેવામાં પ્રમાણતા કેવી રીતે આવશે? કારણ કે
દોષવાન વક્તાને તો ઢોંગી કહીએ છીએ, માટે પૂર્ણ જ્ઞાની તથા
રાગદ્વેષ રહિત જ મૂળ વ્યાખ્યાતા થતાં આમ્નાયની સાચી પ્રવૃત્તિ
થશે, એ જ દર્શાવીએ છીએઃ
જો તમે સર્વથા અકૃત્રિમ આમ્નાય પુરુષના આશ્રય વિના
જ માનશો તો આમ્નાય તો અકૃત્રિમ સંભવે છે. કારણ આવું
વચન છે કેઃ
‘सिद्धो वर्णसमाम्नायः’
અર્થાત્ અક્ષરોની સાચી આમ્નાય છે તે સ્વયંસિદ્ધ છે
પણ કોઈની કરેલી નથી, તો અક્ષર વા જીવાદિક વસ્તુનાં નામ
અર્થ :સર્વથી અકૃત્રિમ પરંપરાથી આવવાના કારણે પણ
વેદમાં પ્રમાણિકતા આવી શકતી નથી, કારણ કે તેના વ્યાખ્યાતા
અસર્વજ્ઞ અને રાગદ્વેષી હોતાં વંચનાનો સંભવ આવે છે.
*
અર્થ :વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય (ચોસઠ મૂળાક્ષર) સ્વયંસિદ્ધ
છેઅનાદિનિધન છે.