Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 101 of 103
PDF/HTML Page 113 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૧૦૧
किंजिज्ज्ञस्यापि तद्वन्मे तेनैवेति विनिश्चयः
इत्युक्तमशेषज्ञसाधनोपायसंभवात् ।।२७।।
यथाहमनुमानादेः सर्वज्ञं वेह्नि तत्त्वतः
तथान्येपि नराः संतस्तद्बोद्धारो निरंकुशाः ।।२८।।
(પ્ર. અ. પાનું ૧૪)
ઇત્યાદિ બધી જિનમતની નિર્બલતા દર્શાવી પણ એ
અવસ્થા તો જૈનાભાસી છે કે જેને મતનું, આમ્નાયનું,
વસ્તુઓના સ્વરૂપનું વા સ્વ
પરના કલ્યાણનું જ્ઞાન તો ન થયું
હોય અને (માત્ર) કુળાદિક, વા પંચાયતઆદિના આશ્રયથી
પૂજા
તપ, ત્યાગાદિરૂપ પ્રવર્તે છે, તથા જૈની કહેવરાવે છે તેમને
જ છે. કારણ કેવિશેષ જ્ઞાન ન હોય તોપણ જે મોક્ષમાર્ગની
પ્રયોજનભૂત રકમ છે તેનું જ્ઞાન તો નિર્ણયરૂપહેતુપૂર્વક હોવું
જોઈએ. જે સાચો જૈની હશે તે તો પ્રયોજનભૂત રકમમાં અન્ય
દ્વારા બાધા સર્વથા આવવા દેશે નહિ તથા બાધા જોઈને પોતાને
તલાકપણું (‘એમ નહિ’ એવો નકાર, અરુચિ) ન આવે અને
જો પોતે સર્વનું મન રંજાયમાન કરવા અર્થે (માત્ર) મંદકષાયી
શીતલ બનીને જ રહે અને વાર્તાલાપ કરીને તેની બાધાનું ખંડન
ન કરે તો તે જૈનાભાસી મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે જે જૈન
હોય તે પોતાના કાનોથી જિનમતની બાધાનાં વચન કેવી રીતે
અર્થ :જેમ હું અનુમાનાદિથી સર્વજ્ઞને વાસ્તવિક રીતે જાણું
છું, તેમ અન્ય મનુષ્યો પણ સર્વજ્ઞને જાણનારા હોય તેમાં કોઈ
બાધા નથી.