Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 7 of 103
PDF/HTML Page 19 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૭
માટે આગમનું સેવન, મુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો
ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે.
જિનવચન છે તે ચારે અનુયોગમય છે એ રહસ્ય જાણવા
યોગ્ય છે, ત્યાં જિનવચન તો અપાર છે, તેનો પાર તો
શ્રીગણધરદેવ પણ પામ્યા નહિ માટે એમાં જે મોક્ષમાર્ગની
પ્રયોજનભૂત રકમ છે; તે તો નિર્ણયપૂર્વક અવશ્ય જાણવા યોગ્ય
છે. કહ્યું છે કે
अन्तो णत्थि सुईणं कालो थोओवयं च दुम्मेहा
तं णावर सिक्खियव्वं जिं जरमरणक्खयं कुणहि ।।९८।।
(પાહુડદોહા)
ત્યાં મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત રકમ કઈ કઈ છે તે અહીં
દર્શાવીએ છીએ. જિનધર્મજિનમત, દેવકુદેવ, ગુરુકુગુરુ,
શાસ્ત્રકુશાસ્ત્ર, ધર્મકુધર્મઅધર્મ, હેયઉપાદેય, તત્ત્વ
અતત્ત્વકુતત્ત્વ, માર્ગકુમાર્ગઅમાર્ગ, સંગતિકુસંગતિ,
સંસારમોક્ષ, જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ
* અર્થ :શ્રુતિઓનો અંત નથી, કાળ થોડો છે અને અમે દુર્બુદ્ધિ
(અલ્પબુદ્ધિવાળા) છીએ, તેથી (હે જીવ!) તારે તે શીખવા યોગ્ય
છે, કે જેનાથી તું જન્મ-મરણનો નાશ કરી શકે.
૧. હેય = છોડવા યોગ્ય.
૨. ઉપાદેય = આદરવા યોગ્ય.