Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 13 of 103
PDF/HTML Page 25 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૧૩
દોષ રહિત સ્વરૂપનો નિર્ણય કરવા યોગ્ય છે. ત્યાં રોગનું
નિદાન, રોગનું લક્ષણ, ચિકિત્સાનું પાકું જ્ઞાન હોય તથા રાગ-
દ્વેષરૂપ મતલબ જેને ન હોય તે પરમાર્થ (સાચો) વૈદ્ય છે. પણ
વૈદ્યના એ ગુણોને તો ન ઓળખે અને ઔષધિની જાતિ તથા
નાડી દેખવાનું જ જાણે, ઇત્યાદિ ગુણોના આશ્રયે વિષરૂપ
ઔષધિ જો તે લેશે તો તેનું બૂરૂં જ થશે. કારણ કે જગતમાં
પણ એવું કહેવાય છે કે ‘અજાણવૈદ્ય યમ બરાબર છે’, માટે
સાચા વૈદ્યનો જેટલો કાળ સંબંધ ન મળે તો ઔષધિ ન લેવી
તો ભલી છે પણ આતુર થઈ અપ્રમાણિક વૈદ્યની ઔષધિ
લેવાથી ઘણું દુઃખ ઉત્પન્ન થાય છે. તે તમે તમારા ચિત્તમાં
વિચાર કરીને જુઓ. જેને (રોગનો) ઇલાજ કરાવવો હોય તે
પહેલાં વૈદ્યનો જ નિશ્ચય કરે છે, ત્યાં પ્રથમ તો
બીજાના કહેવાથી વા અનુમાનથી તેના સ્વરૂપનો નિશ્ચય કરી
વૈદ્ય પ્રત્યે આસ્થા લાવે છે પછી તેની કહેલી ઔષધિનું સાધન
કરે છે તથા પોતાને રોગની મંદતા થતી જાય ત્યારે સુખી થાય
અને ત્યારે સ્વાનુભવજનિત પ્રમાણ દ્વારા વૈદ્યનું સાચાપણું
ભાસતું જાય.
એ જ પ્રમાણે આ જીવને આકુલતા ચિહ્ન સહિત
અજ્ઞાનજનિત ઇચ્છા નામનો રોગ બની રહ્યો છે. તેથી કોઈ
૧. અસંભવ = ઓળખવા યોગ્ય ચીજમાં લક્ષણનું હોવાપણું બીલકુલ
જોવામાં ન આવતું હોય ત્યાં અસંભવ દોષ આવે છે. જેમ કે
જીવનું લક્ષણ અચેતન કહેવું તે.