Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 16 of 103
PDF/HTML Page 28 of 115

 

background image
૧૬ ]
[ સત્તાસ્વરૂપ
દર્શનાદિ ધર્મબુદ્ધિપૂર્વક કરીએ છીએ.’ તેને કહીએ છીએ કે
એ દેવ તો સાચા જ છે, પરંતુ તમારા જ્ઞાનમાં તેનું
સાચાપણું ભાસ્યું નથી, જેમ તમે પંચાયત વા કુલાદિના
આશ્રયે ધર્મબુદ્ધિથી પૂજાદિ કાર્યોમાં પ્રવર્તો છો તે જ પ્રમાણે
અન્યમતાવલંબી પણ ધર્મબુદ્ધિથી વા પોતાની પંચાયત વા
કુલાદિકના આશ્રયે પોતાના દેવાદિકની પૂજાદિ કરે છે, તો
ત્યાં તમારામાં અને તેમનામાં વિશેષ ફરક ક્યાં રહ્યો? ત્યારે
તે શંકાકાર કહે છે કે
અમે તો સાચા જિનદેવની પૂજાદિક
કરીએ છીએ, પણ અન્ય મિથ્યાદેવની પૂજાદિક કરે છે
એટલી તો વિશેષતા છે? તેને કહીએ છીએ કે
(વાસ્તવિક)
ધર્મબુદ્ધિ તો તમારામાં પણ નથી તથા એ અન્યમાં પણ
નથી, જેમ બે બાળક અજ્ઞાની હતા એ બંનેમાં એક
બાળકના હાથમાં હીરો આવ્યો તથા બીજાના હાથમાં એક
બિલોરી પથ્થર આવ્યો, એ બંનેએ શ્રદ્ધાપૂર્વક તેને
પોતપોતાના આંચળમાં (કપડાના છેડામાં) બાંધી લીધા, પરંતુ
બંને બાળકોને તેનું યથાર્થ મતિજ્ઞાન નથી એ અપેક્ષાએ તે
બંને અજ્ઞાની જ છે. જેના હાથમાં હીરો આવ્યો તે હીરો
જ છે તથા બિલોરી પથ્થર આવ્યો તેની પાસે બિલોરી
પથ્થર જ છે.
ત્યારે તે કહે છે કેઅન્યમતવાળાને ગૃહિતમિથ્યાત્વ
છે અને અમે તો સાચા દેવાદિની પૂજા કરીએ છીએઅન્ય
દેવાદિની નથી કરતા, તેથી અમને ગૃહિતમિથ્યાત્વ તો છૂટ્યું