Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 17 of 103
PDF/HTML Page 29 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૧૭
છે, એટલો નફો તો થયો! તેને કહીએ છીએ કે
તમને ગૃહિતમિથ્યાત્વનું જ જ્ઞાન નથી કે
ગૃહિતમિથ્યાત્વ કોને કહેવાય? તમે તો ગૃહિતમિથ્યાત્વ આમ
માન્યું છે કે
‘અન્ય મિથ્યાદેવાદિનું સેવન કરવું, પણ એ
ગૃહિતમિથ્યાત્વનું (સાચું) સ્વરૂપ ભાસ્યું નથી. તેનું ખરૂં
સ્વરૂપ શું છે તે અહીં કહીએ છીએ
જે દેવગુરુશાસ્ત્રધર્મ ઇત્યાદિકનો બાહ્યલક્ષણોના
આશ્રયે સત્તા, સ્વરૂપ, સ્થાન, ફળ પ્રમાણ, નય
ઇત્યાદિકનો નિશ્ચય તો ન હોય અને લૌકિકતાથી તેનું
બાહ્યરૂપ જુદું ન માને, તેને બાહ્યરૂપથી પણ (તેનું) સ્વરૂપ
ભાસ્યું નથી, તે અન્યને સેવે છે તથા કુળ
પક્ષના આશ્રયે,
પંચાયતના આશ્રયે, સંગતિના આશ્રયે, પ્રભાવનાદિ ચમત્કાર
જોઈ વા શાસ્ત્રમાં અને પ્રગટમાં દેવાદિકની પૂજાદિકથી ભલું
થવું કહ્યું છે, એવી માન્યતાના આશ્રયે સાચા દેવાદિકનો જ
(માત્ર) પક્ષપાતીપણાથી સેવક બની પ્રવર્ત્તે છે તેને પણ
ગૃહિતમિથ્યાત્વ જ છે. એ પ્રમાણે તો અન્ય પણ પોતાના
જ દેવને માને છે અને જિનદેવને નથી માનતા. એ
ગૃહિતમિથ્યાત્વનું મટવું તો આ પ્રમાણે છે કે
અન્ય
દેવાદિના બાહ્યગુણોનું તથા પ્રબંધના આશ્રયપૂર્વક સ્વરૂપ
૧. પ્રમાણ = સાચું જ્ઞાન, આખી વસ્તુને યથાર્થપણે જાણવી તે.
૨. નય = વસ્તુના એક પડખાને પેટમાં રાખી બીજા પડખાને મુખ્ય
કરી જાણવું તે. શ્રુતજ્ઞાનનો અંશ.