Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 19 of 103
PDF/HTML Page 31 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૧૯
પચીસમલને વિચારપૂર્વક નહિ લગાવતો તન, ધન, વચન,
જ્ઞાન, શ્રદ્ધાન અને કષાય વગેરે તેમાં લગાવવાને
સદ્ભાવરૂપ જ પ્રવર્તે છે, અન્યમાં પ્રવર્તતો નથી, અભાવને
સાધે પણ મિથ્યાસદ્ભાવને સ્થાન ન આપે વા તેનું સમર્થન
ન કરે વા તેના સહકારીકારણરૂપ ન બને.
ત્યાં દેવના કથનમાં તોદેવસંબંધી મિથ્યાસદ્ભાવ
કરતો નથી. અન્યદેવ અને જિનદેવમાં સમાનતારૂપ પ્રવૃત્તિ
રાખતો નથી, જિનદેવનું (અંતરંગ) સ્વરૂપ અને બાહ્યરૂપ
અન્યથા કહેતો નથી
સાંભળતો નથી, વીતરાગદેવની
પ્રતિમાનું રૂપ સરાગરૂપ કરતો નથી, અવિનયાદિરૂપ પ્રવૃત્તિ
કરતો નથી, તે રૂપ પોતે બનાવતો નથી, લૌકિકમાં
૧. સમ્યક્ત્વના પચ્ચીસમલ; આઠમદ = (૧) જાતિ, (૨) લાભ,
(૩) કુળ, (૪) રૂપ, (૫) તપ, (૬) બળ, (૭) વિદ્યા,
(૮) અધિકાર.
ત્રણ મૂઢતા = (૧) કુગુરૂ સેવા, (૨) કુદેવ સેવા, (૩) કુધર્મ
સેવા.
આઠ શંકાદિ દોષો = (૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા,
(૪) મૂઢ દ્રષ્ટિ, (૫) અનૂપગૂહન, (૬) અસ્થિતિકરણ,
(૭) અવાત્સલ્ય, (૮) અપ્રભાવના. એ આઠ શંકાદિ દોષો.
છ અનાયતન = (૧) કુગુરુ, (૨) કુદેવ, (૩) કુધર્મ,
(૪) કુગુરુ સેવક, (૫) કુદેવ સેવક, (૬) કુધર્મ સેવક. આ બધા
મળીને સમ્યક્ત્વના પચ્ચીસ દોષ છે.