૨૦ ]
[ સત્તાસ્વરૂપ
૧અતિશયોનું સ્વરૂપ અન્યથા કહેતો નથી, પોતે અવિનય
દેખે તો તેનો ૨પ્રબંધ કરતો નથી તથા સાચા દેવાદિકના
પ્રતિમાજીનો અવિનયાદિ થતો હોય તો ત્યાંથી પોતે પોતાને
બચાવતો રહે છે. એ જ પ્રમાણે શાસ્ત્રાદિનું પણ જાણવું.
એ પ્રમાણે અન્યદેવાદિકથી સંબંધ છોડવો એનું જ નામ
ગૃહિતમિથ્યાત્વનું છૂટવું છે.
સાચા દેવાદિકથી સાચી પ્રવૃત્તિ વ્યવહારરૂપ વિષય
કષાયાદિના આશ્રયરહિત કરવાથી ગૃહિતમિથ્યાત્વ છૂટશે, તેથી
તમે અન્ય દેવાદિથી તો પરીક્ષા કર્યા વિના જ સંબંધ છોડ્યો,
પરંતુ સાચા દેવાદિકમાં તો જેવી આગળ બીજાઓથી સાચી
લગની હતી તેવી પ્રીતિ ન થઈ તે તમે તમારા પરિણામોમાં
વિચાર કરીને જુઓ! કારણ કે – અંતરંગ પ્રીતિનું કાર્ય બહાર
જણાયા વિના ન રહે. તેથી ગૃહસ્થી છે તેને આ સુગમમાર્ગરૂપ
કલ્યાણની વાત છે (કહીએ છીએ,) કે વર્તમાન ક્ષેત્ર – કાળમાં
બધાય પોતપોતાના દેવાદિકથી પ્રવૃત્તિ કરે છે, અને તમે પણ
ધન, કુટુંબાદિકનું પોષણ, ભોગ – રોગાદિક વા વિવાહાદિ કાર્યોમાં
જેવા પ્રવર્તો છો તેવા જ પદયોગ્ય નાના પ્રકારપૂર્વક તે જ રૂપે
પ્રવર્તો છો, જ્યાં સુધી તમારામાં વિશેષધર્મવાસના ન વધે ત્યાં
સુધી તેના હિસ્સા જેટલું ધનાદિક તો આના અર્થે લગાવ્યા કરો!
૧. અતિશય = ખાસ પ્રકારનું ઉત્કૃષ્ટ અલૌકિક પુણ્ય જે
સમ્યગ્દર્શનની ભૂમિકામાં બંધાય છે તે
૨. પ્રબંધ = સ્વીકાર.