Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 22 of 103
PDF/HTML Page 34 of 115

 

background image
૨૨ ]
[ સત્તાસ્વરૂપ
બંધાવાના આશ્રયથી નિરાશ બની પ્રવર્તો છો, વા તમને આ
(ધર્મ) કાર્યો ફીકાં ભાસ્યાં હોય એમ લાગે છે, તેનું કારણ શું
છે? અહીં તમે કહેશો કે ‘રુચિ ઉપજતી નથી
ઉંમગપૂર્વક શક્તિ
ચલાવવાનો ઉદ્યમ થતો જ નથી ત્યાં અમે શું કરીએ?’ આ
ઉપરથી એમ જણાય છે કે
તમારું ભવિષ્ય જ સારું નથી, જેમ
રોગીને ઔષધિ અને આહાર ન રુચે ત્યારે જાણીએ છીએ કે
‘આનું મરણ નજીક આવ્યું છે’ તેમ તમારા અંતરંગમાં (ધર્મ)
વાસના ઉપજતી નથી અને માત્ર મોટા કહેવરાવવા માટે વા દશ
પુરુષોમાં સંબંધ રાખવા માટે કપટ કરી અયથાર્થ પ્રવર્તો છો,
તેનાથી લૌકિક અજ્ઞાની જીવો તો તમને ભલા કહી દેશે; પરંતુ
જેના તમે સેવક બનો છો તે તો
કેવલજ્ઞાની ભગવાન છે,
તેમનાથી તો આ કપટ છૂપું રહેશે નહિ વા પરિણામો અનુસાર
કર્મ બંધાયા વિના રહેશે નહિ અને તમારું બૂરું કરવાવાળું તો
કર્મ જ છે માટે તમને આ પ્રમાણે પ્રવર્તવામાં નફો શો થયો?
તથા જો તમે એનાથી (એ જિનદેવાદિથી) વિનયાદિરૂપ,
નમ્રતારૂપ વા રસસ્વરૂપ નથી પ્રવર્તતા તો તમને તેનું મહાનપણું
વા સ્વામિપણું ભાસ્યું જ નથી, ત્યાં તો તમારામાં અજ્ઞાન
આવ્યું! તો પછી વગર જાણ્યે સેવક શું થયા? તમે કહેશો કે
‘એ અમે જાણીએ છીએ, તો એ જિનદેવાદિકના અર્થે
ઉચ્ચકાર્યોમાં મિથ્યાત્વના જેવી ઉમંગરૂપ પ્રવૃત્તિ તો ન થઈ!
૧. કેવલજ્ઞાની = સંપૂર્ણજ્ઞાની, સર્વને સંપૂર્ણ રીતે એક સમયમાં
જાણનારા.