Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 25 of 103
PDF/HTML Page 37 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૨૫
દ્યો; ત્યાં પ્રત્યક્ષમાં તો પોતાના નેત્ર વડે એ બતાવો કે અન્ય દેવને
પૂજવાથી ઇષ્ટની પ્રાપ્તિ મને વા અન્યને અવશ્ય થઈ છે તથા
જિનદેવને પૂજવાવાળાને થવી
અનિશ્ચયાત્મક છે, અનુમાનમાં
એવું પાકું સાધન બતાવો કે જેથી એમ ભાસી જાય કેઅન્ય
દેવને પૂજવાવાળાને ઇષ્ટની પ્રાપ્તિ થાય જ થાય અને જિનદેવને
પૂજવાથી થાય પણ ખરી તથા ન પણ થાય, કાનોથી આ વાત
સાંભળવામાં આવી હોય કે દેશ-પરદેશમાં અન્ય દેવાદિકને
પૂજવાવાળાને તો ઇષ્ટની પ્રાપ્તિ થઈ જ છે તથા જિનદેવને
પૂજવાવાળાને થઈ છે પણ ખરી તથા નથી પણ થઈ. પણ એવો
પ્રબંધ નિરપેક્ષ હોય છે; પરંતુ વિચાર કરતાં તો તે સત્ય ભાસશે
નહિ; કારણ કે જીવન
મરણ, સુખદુઃખ, આપત્તિસંપત્તિ,
રોગનીરોગતા, લાભઅલાભ ઇત્યાદિ તો જૈની તથા અન્યમતિ
સર્વને પોતપોતાના પૂર્વોપાર્જિત કર્મોદયના આશ્રયથી સામાન્ય
વિશેષરૂપથી થાય છે.
જેમ શીતલા પૂજવાવાળો તો પોતાના પુત્રના જીવન માટે
જ પૂજે છે, પૂજતાં છતાં પણ તે (પુત્ર) મરતો પ્રત્યક્ષ જોવામાં
આવે છે તથા અનુમાનથી પણ એમ ભાસતું નથી કે શીતલા
પૂજવાવાળાનો પુત્ર જીવશે જ, તથા દેશ
પરદેશથી સાંભળવામાં
પણ નથી આવ્યું કેશીતલાને પૂજવાવાળા સર્વના પુત્રો જીવ્યા
જ છે, એ પ્રમાણે સર્વ વાતો સમજી લેવીજગતમાં પણ એમ
જ કહે છે.
૧. અનિશ્ચયાત્મક = અચોક્કસ.