Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 26 of 103
PDF/HTML Page 38 of 115

 

background image
૨૬ ]
[ સત્તાસ્વરૂપ
જ્યારે શીતલાને પૂજતાંપૂજતાં પુત્ર મરી જાય ત્યારે
તેઓ કહે છે કે‘પ્રાણીની આયુસ્થિતિ હોય તેટલી જ તે
ભોગવે છે એક પળ પણ આગળપાછળ થઈ શકતી નથી,
શીતલા શું કરે! આ તો પૂજાદિકનો વ્યવહાર બનાવી રાખ્યો
છે’, પરંતુ એમાં તો જગતના કહેવામાં પણ જીવન-મરણ,
સુખ
દુઃખ, લાભઅલાભ, આદિના મૂળમાં તો કર્મ, આયુષ્ય,
શાતાઅશાતા વા અંતરાયાદિકનું અનુકૂળપણુંપ્રતિકૂળપણું જ
પ્રબળ કારણ થઈ રહ્યું. માટે સત્યાર્થદ્રષ્ટિ વડે નિર્ણય કરીને
સર્વ સંકલ્પ છોડી પોતાના સુદેવમાં જ
આસ્તિક્યબુદ્ધિ લાવવી
યોગ્ય છે. ‘કાર્ય તો કર્મના ઉદય આશ્રિત જે થવાનું છે તે જ
થશે.’ એવો નિશ્ચય રાખવો યોગ્ય છે પણ ધર્મ છોડવાથી
ઇષ્ટની પ્રાપ્તિ થવી સંભવતી નથી, અન્ય મતવાળા પણ એ જ
પ્રમાણે કહે છે કે
પોતપોતાના ઇષ્ટને નમન કરે સૌ કોઈ,
ઇષ્ટ વિહુણા પરશરામ નમેં તે મૂરખ હોય;
વળી, તે કહે છે કે‘જે સાચા અંતઃકરણથી પૂજે છે
તેમને તો ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે જ.’ તેને ઉત્તરજ્યાં કર્મના
ઉદયથી ઇષ્ટની પ્રાપ્તિ થાય છે ત્યાં તો તું તેને કુદેવાદિકની કરી
બતાવે છે તથા જ્યાં ઇષ્ટની પ્રાપ્તિ નથી થતી વા અનિષ્ટની
૧. અંતરાય = વિઘ્ન કરવામાં નિમિત્ત થતું કર્મ.
૨. આસ્તિક્યબુદ્ધિ = વિશ્વાસ, ભરોસાનો ભાવ.