Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 31 of 103
PDF/HTML Page 43 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૩૧
કરે છે, તેમ જેનામાં જ્ઞાન થોડું હોય અને કષાય ઘણો હોય
તો તેની નિંદા જ કરે છે. માટે વિચાર કરતાં નિંદા કરાવવાવાળા
દોષ તો અજ્ઞાન
રાગાદિક જ છે અને ગુણ, સાચી વીતરાગતા
જ છે, કારણ કેપુણ્યવાનગૃહસ્થ પણ ત્યાગીતપસ્વીની પૂજા
કરે છે, તેથી જણાય છે કેસર્વ લૌકિક ઇષ્ટ વસ્તુઓથી પણ
ત્યાગ વૈરાગ્ય શ્રેષ્ઠ છે. ત્યાં જેને સંપૂર્ણ સત્યજ્ઞાનવીતરાગતા
પ્રગટ થઈ છે તે તો સર્વોત્કૃષ્ટ પૂજવા યોગ્ય છે અને એને જ
પરમગુરુ કહીએ છીએ તથા જેને એ સત્યજ્ઞાન
વીતરાગતા પૂર્ણ
થયાં નથી તે પણ એકદેશ પૂજ્ય છે, એમ જાણવું.
પ્રશ્નઃતમારા દેવમાં જ જ્ઞાનની પૂર્ણતા થઈ છે
અને અન્ય દેવોને નથી થઈ, એમ કેવી રીતે જાણવામાં આવે
છે તે કહો?
ઉત્તરઃઅમે નિરપેક્ષ થઈ કહીએ છીએ કેજેના
વચનમાં વા મતમાં પ્રત્યક્ષ (પ્રમાણથી), અનુમાન (પ્રમાણથી)
૧. નિરપેક્ષ = નિઃસ્પૃહ
૨. પ્રમાણ = સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. પ્રત્યક્ષ પ્રમાણ = જે
પદાર્થને સ્પષ્ટ જાણે છે તે વિશદં પ્રત્યક્ષમ્ = સ્પષ્ટ જ્ઞાન તે
પ્રત્યક્ષ પ્રમાણ છે.
૩. અનુમાનપ્રમાણ = સાધનાત્ સાધ્ય વિજ્ઞાનમનુમાનમ્ = સાધન
(હેતુ)થી સાધ્ય (સિદ્ધ કરવા યોગ્ય વસ્તુ)નું જ્ઞાન થવું, તેને
અનુમાન પ્રમાણ કહે છે.