Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 32 of 103
PDF/HTML Page 44 of 115

 

background image
૩૨ ]
[ સત્તાસ્વરૂપ
આગમ (પ્રમાણથી) તથા ન્યાયરૂપ લૌકિક સ્વવચનથી વિરોધ
ન આવે તે જ સર્વજ્ઞવીતરાગ છે, કારણ કેતેને સર્વજ્ઞ-
વીતરાગપણું પ્રત્યક્ષ તો ભાસતું નથી, પ્રત્યક્ષ તો કેવલીને જ
ભાસે છે તથા આગમમાં લખેલું હોવાથી જ માની લઈએ તો તેને
(પોતાના) જ્ઞાનમાં તો એ વિષય આવ્યો નથી માત્ર અન્યના
વચનથી માની લીધું, ત્યાં તેને વસ્તુનું યથાર્થજ્ઞાન તો ન થયું,
કેવલ વચન શ્રવણ થયું. એવા (માત્ર) આજ્ઞાપ્રધાનીને
અષ્ટસહસ્રી આદિ ગ્રંથોમાં અજ્ઞાની કહ્યો છે.
માટે પ્રયોજનભૂત જે વાતો આગમમાં કહી છે તેનો
પ્રત્યક્ષઅનુમાનાદિથી પોતાના જ્ઞાનમાં નિશ્ચય કરી આગમ
ઉપર પ્રતીતિ લાવવા યોગ્ય છે. એ પ્રશ્નોત્તરોનું વિશેષ વ્યાખ્યાન
પ્રમાણનિશ્ચયના કથનમાં લખીશું. અહીં અનુમાન દ્વારા
અર્હન્તના સ્વરૂપનો નિર્ણય થશે.
અનુમાન તો ત્યારે થાય કે જ્યારે સાધ્યસાધનની
વ્યાપ્તિરૂપ સત્ય તર્ક પહેલાં થાય. હવે અહીં
૧. આગમપ્રમાણ = આપ્તના વચનાદિથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને
આગમ પ્રમાણ કહે છે.
૨. વ્યાપ્તિ = એકના (સાધનના) હોવાથી બીજાનું (સાધ્યનું) હોવાપણું
અને બીજાના ન હોવાથી એકનું ન હોવાપણું એવા સંબંધને વ્યાપ્તિ
કહે છે. દા.ત. જ્યાં જ્યાં ધૂમાડો (સાધન) હોય ત્યાં ત્યાં અગ્નિ
(સાધ્ય) હોય, જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડો ન હોય,
એવા અગ્નિ અને ધૂમાડાના સંબંધને વ્યાપ્તિ કહે છે.
૩. તર્ક = અને તે સંબંધના જ્ઞાનને તર્ક કહે છે.