Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 36 of 103
PDF/HTML Page 48 of 115

 

background image
૩૬ ]
[ સત્તાસ્વરૂપ
પતિના નામની જ કહેવાય છે અને પુત્ર છે, તે સુખદુઃખાદિ
સર્વ અવસ્થામાં પોતાનો જે જાતિનો પિતા છે તે જ જાતિનો
કહેવાય છે, તેમ તમને તો ‘જિનદેવ જ મારા સ્વામી છે’ એવો
તેનો આસ્તિક્યભાવ પણ સાચો ભાસતો નથી; કારણ કે
સર્વ
મતવાળા પોતપોતાના ઇષ્ટદેવના સેવક થઈ પ્રવર્તે છે. પરંતુ
તમારામાં તો એ પણ નથી તે તમે શાંતદ્રષ્ટિપૂર્વક વિચારી જુઓ.
વળી (તમે કહ્યું કે
) ‘શાસ્ત્રમાં સાંભળ્યું છે.’ પણ અમે પૂછીએ
છીએ કેશાસ્ત્રમાં તો લખ્યું જ છે, પરંતુ તમને ક્યાં ભાસ્યું છે
કે‘દેવ, અઢાર દોષ રહિત છે?’ અહીં કોઈ તર્ક કરે કે
શ્વેતામ્બરાદિક તો યુક્તિપૂર્વક ઉત્તર આપવાને સમર્થ છે અથવા
દોષ રહિત છે, તો તેને (દેવને) ફુલમાળા પહેરાવવી વા
શરદપૂર્ણિમાના ઉત્સવ કરવા ઇત્યાદિ દોષનાં કાર્યો શા માટે
બનાવો છો! વળી એ અઢાર દોષોમાં કેટલા દોષો પુદ્ગલાશ્રિત
છે એનો નિર્ણય કર્યો હોત વા અઢાર દોષ રહિતપણું થતાં જ
દેવપણું આવે છે, એવો નિશ્ચય કર્યો હોત વા આમના અઢાર
દોષ કેવી રીતે ગયા છે તેનો યુક્તિપૂર્વક નિશ્ચય કર્યો હોત અને
ત્યાર પછી દોષસહિતમાં દેવપણું નહિ માનતાં આમાં જ
(દેવપણું) માનતા હોત ત્યારે તો ‘અઢાર દોષરહિત અર્હંત છે’
એવાં વાક્યો બોલવાં તમારાં સાચાં હોય.
વળી, તમે કહ્યું કે‘છેતાલીસગુણ બિરાજમાન છે’ પણ
તે બધાય અર્હંતોમાં તો છે જ નહિ, તમે કાંઈ નિર્ણય પણ કર્યો
છે કે એમ કહે જ જાઓ છો? ત્યાં છેતાલીસ ગુણ તો આ
છે
જન્મના દશ અતિશય, કેવલજ્ઞાનના દશ અતિશય, દેવકૃત