૩૮ ]
[ સત્તાસ્વરૂપ
થાય છે એટલે તેમને પણ જન્મના દશ અતિશય વિના છત્રીસ
ગુણો હોય છે
૪. જેમને તીર્થંકરપ્રકૃતિનો ઉદય નથી હોતો પણ જે
ગંધકુટીઆદિ સહિત હોય છે તેને સાતિશયકેવલી કહીએ છીએ.
૫. જેમને કેવલજ્ઞાન તો ઉત્પન્ન થયું હોય પણ
ગંધકુટીઆદિ ન હોય તેને સામાન્યકેવલી કહીએ છીએ.
૬. જે કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં જ લઘુઅંતર્મુહૂર્તકાળમાં
નિર્વાણ પ્રાપ્ત કરી લે છે તેને અંતકૃતકેવલી કહીએ છીએ
તથા —
૭. જેમને ઉપસર્ગઅવસ્થામાં જ કેવલજ્ઞાન થયું હોય
તેમને ઉપસર્ગકેવલી કહીએ છીએ.
હવે, અતિશયકેવલીને જન્મના અતિશય તો હોતા નથી
માત્ર આઠ પ્રાતિહાર્ય, ચૌદ દેવકૃતઅતિશય, દશ કેવલજ્ઞાનના
અતિશય તથા ચાર અનંત ચતુષ્ટય હોય છે. સામાન્યકેવલી,
ઉપસર્ગકેવલી અને અંતકૃતકેવલીને પણ જન્માદિકના અતિશય
સંભવતા નથી, માટે નિર્ણય કર્યા વિના જ ‘છેતાલીસ
ગુણસંયુક્ત અર્હંતદેવ છે’ એ પ્રમાણે કહેવું (ઠીક) સંભવતું
નથી, કારણ છેતાલીસ ગુણ તો પંચકલ્યાણકસહિત તીર્થંકર હોય
તેમને જ હોય છે.
વળી, ધ્યાનમુદ્રા જોઈને પૂજો છો તો તેમાં આટલી વાત
પણ અન્ય જાણવી જોઈએ કે – ધ્યાનમુદ્રા આવી પૂજ્ય કેમ છે?