Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 43 of 103
PDF/HTML Page 55 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૪૩
આઠકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી જે અવસ્થા તે રૂપ પરિણમે
છે. ત્યાં ભિન્ન પરદ્રવ્ય, સંયોગરૂપ પરદ્રવ્ય, વિભાવ પરિણામ
તથા જ્ઞેય
શ્રુતના જ્ઞાનના ષડ્રૂપ (છ ખંડરૂપ પ્રકારના)
ભાવપર્યાયના ધર્મ તેની સાથે અહંકારમમકારરૂપ કલ્પના
કરી, પરદ્રવ્યોને મિથ્યા ઇષ્ટઅનિષ્ટરૂપ કલ્પી, મોહરાગ
દ્વેષને વશીભૂત થઈ, કોઈ પરદ્રવ્યને તો પોતારૂપ માની લે છે.
(તથા કોઈ પરદ્રવ્યને પરરૂપ માની લે છે). જેને ઇષ્ટરૂપ માની
લે છે તેને ગ્રહણ કરવા ઇચ્છે છે તથા જેને પરરૂપ
અનિષ્ટ
માની લે છે તેને દૂર કરવા ઇચ્છે છે, એ પ્રમાણે આ જીવને
અનાદિકાળથી એક ઇચ્છારૂપ રોગ અંતરંગમાં શક્તિરૂપ
ઉત્પન્ન થયો છે, તેના ચાર ભેદ છે. ૧ મોહઇચ્છા, ૨
કષાયઇચ્છા, ૩ ભોગઇચ્છા, ૪ રોગાભાવઇચ્છા. ત્યાં એ
ચારેમાંથી પ્રવૃત્તિ તો એક કાળમાં એકની જ થાય છે, કોઈ
સમયે કોઈ ઇચ્છાની થયા જ કરે છે.
ત્યાં મૂળ તો મિથ્યાત્વરૂપ મોહભાવ એક સાચા જૈની
વિના સર્વ સંસારી જીવોને હોય છે, એ પ્રવૃત્તિરૂપ ચાર
પ્રકારની ઇચ્છાનું કાર્ય આ પ્રમાણે થાય છેઃ
પ્રથમ મોહઇચ્છાનું કાર્ય આ પ્રકારથી છેપોતે તો
કર્મજનિત પર્યાયરૂપ બન્યો રહે, તેમાં જ અહંકાર લાવતો રહે
કે
હું મનુષ્ય છું, તિર્યંચ છું આદિ, એ પ્રમાણે જેવી જેવી
પર્યાય થાય તે તે રૂપ જ પોતે થયો પ્રવર્તે છે, તથા જે
પર્યાયમાં પોતે ઉત્પન્ન થાય છે તે સંબંધી સંયોગરૂપ વા