Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 45 of 103
PDF/HTML Page 57 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૪૫
મટાડવા માટે અન્ય પરદ્રવ્યોના સંબંધની ઇચ્છા થવી, તેનું નામ
રોગાભાવઇચ્છા છે.
એ પ્રમાણે ચાર પ્રકારની ઇચ્છા છે, તેમાં (એક કાળમાં)
કોઈ એક જ ઇચ્છાની પ્રબલતા રહે છે અને બાકીની ત્રણ
ઇચ્છાઓની ગૌણતા રહે છે. જેમ
મોહ ઇચ્છા પ્રબલ થાય તો
પુત્રાદિકના માટે પોતે પરદેશ જાય, ત્યાં ભૂખતરસ અને ટાઢ
તપ આદિનું દુઃખ સહન કરે, પોતે ભૂખ્યો રહે, પોતાનું માન
મદ ગુમાવીને પણ કાર્ય કરે છે, પોતાનાં અપમાનાદિક કરાવે
છે, છલ આદિ કરે છે તથા ધનાદિ ખર્ચ કરે છે, એ પ્રમાણે
મોહઇચ્છા પ્રબલ રહેતાં કષાયઇચ્છા ગૌણ રહે છે.
પોતાના હિસ્સાનું ભોજન, વસ્ત્રાદિક પુત્રાદિક કુટુંબીઓને
સારાં સારાં લાવીને આપે છે, પોતાને સૂક્કોવાસી ખોરાક મળે
તો પણ ખુશ રહે છે તથા જે તે પ્રકારથી પોતાના ભાગને પણ
જબરજસ્તીથી આપીને તેમને ખુશ રાખવા ઇચ્છે છે, એ પ્રમાણે
ભોગઇચ્છાની પણ ગૌણતા રહે છે.
વળી, પોતાના શરીરાદિમાં રોગાદિ કષ્ટ આવતાં પણ
પુત્રાદિકના માટે પરદેશ જાય છે ત્યાં ભૂખતરસટાઢતાપ
આદિની અનેક બાધાઓ સહન કરે છે, પોતે ભૂખ્યો રહીને પણ
તેમને ભોજનાદિક ખવડાવે છે, પોતે શીતકાળમાં પણ ભીનાં
ખરડાયેલાં શયન કરીને પણ તેમને સૂકા અને કોમળ બિસ્ત્રામાં
(પથારીમાં) સુવાડે છે, એ પ્રમાણે રોગભાવઇચ્છા ગૌણ રહે છે.
એ પ્રમાણે મોહઇચ્છાની પ્રબલતા થાય છે.