Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 103
PDF/HTML Page 59 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૪૭
ખાતો નથી, સારાં વસ્ત્રો પહેરતો નથી, સુગંધવિલેપનાદિક
લગાવતો નથી, સુંદર રૂપને દેખતો નથી તથા સારા રાગ
સાંભળતો નથી, માત્ર એક ધનાદિકસામગ્રી ઉપજાવવાની વાત
કરવાની જ બુદ્ધિ રહે છે
કંજુસ જેવો સ્વભાવ બની જાય
છે. માયાકષાય તીવ્ર થતાં સારુંસારું ખાતો નથી, સારાં
વસ્ત્રાદિક પહેરતો નથી, સુગંધિતવસ્તુને સૂંઘતો નથી, સુંદર
રૂપાદિકને જોતો નથી, અને સુંદર રાગાદિકને સાંભળતો નથી;
કેવલ અનેક પ્રકારના છલકપટાદિ માયાચારના વ્યવહાર
કરીને અન્યને ઠગવાનાં જ કાર્ય કર્યા કરે છે, ઇત્યાદિ
પ્રકારથી ક્રોધ
માન
માયાલોભકષાયની પ્રબલતા થતાં
ભોગઇચ્છા ગૌણ થઈ જાય છે તથા રોગાભાવઇચ્છા પણ
મંદ પડી જાય છે.
વળી, જ્યારે ભોગઇચ્છા પ્રબલ થઈ જાય છે ત્યારે
પોતાના પિતા આદિને પણ સારું ખવડાવતો નથી, સુંદર
વસ્ત્રાદિક પહેરાવતો નથી, ઇત્યાદિ માત્ર પોતે જ સારી સારી
મીઠાઈ બરફી આદિ ખાવાની ઇચ્છા કરે છે, ખાય છે, સુંદર
બારીક બહુમૂલ્યનાં વસ્ત્રાદિક પહેરે છે અને ઘરનાં વા અન્ય
કુટુંબાદિકજનો ભૂખે મરતાં રહે છે, એ પ્રમાણે ભોગઇચ્છા
પ્રબલ થતાં મોહઇચ્છા ગૌણ થઈ જાય છે.
સારું ખાવું, પહેરવું, સૂંઘવું, જોવું, સાંભળવું વાંછે છે
ત્યાં કોઈ બૂરું કહે તો પણ ક્રોધ કરતો નથી, પોતાના
માનાદિક કોઈ ન કરે તોપણ તેને ગણતો નથી, અનેક પ્રકારની