Sattasvarup (Gujarati). Sarvagnya sattAswaroop.

< Previous Page   Next Page >


Page 53 of 103
PDF/HTML Page 65 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૫૩
સર્વજ્ઞ સત્તાસ્વરુપ
હવે શ્રી અર્હંતદેવનો નિશ્ચય, પોતાના જ્ઞાનમાં થવાનો
ઉપાય લખીએ છીએઃઆ જીવ અનાદિથી મિથ્યાદર્શન
અજ્ઞાનકુચારિત્રભાવથી પ્રવર્તતો થકો ચતુર્ગતિરૂપ સંસારમાં
પરિભ્રમણ કરે છે, ત્યાં કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી જે
અસમાનજાતિયદ્રવ્યપર્યાયમાં અહંબુદ્ધિ ધારી ઉન્મત્ત બની
વિષયકષાયઆદિ કાર્યરૂપ પ્રવર્તે છે. તેમાં અનાદિથી ઘણો
કાળ તો નિત્યનિગોદમાં જ વ્યતીત થયો વા પૃથ્વી આદિ
પર્યાયોમાં વા ઇતરનિગોદમાં વ્યતીત થયો. એ નિત્ય-
નિગોદમાંથી નીકળ્યા પછી પાંચ
સ્થાવરમાં ઉત્કૃષ્ટ રહેવાનો

૧. અસમાનજાતિદ્રવ્યપર્યાય = ભિન્ન જાતિવાળા દ્રવ્યો મળીને જે
એકરૂપ સંયોગ બને છે તેને અસમાનજાતિદ્રવ્યપર્યાય કહે છે.
દા.ત. જીવ અને પુદ્ગલો મળીને મનુષ્યદેવાદિ અવસ્થારૂપે
એકરૂપ વ્યવહાર થાય છે તે.
૨. નિગોદ = જે શરીરમાં અનંતાનંત જીવો એકી સાથે રહે છે,
જન્મે છે અને મરે છે, તે શરીરને સાધારણ કહે છે અને તેમાં
રહેતા જીવોને નિગોદ કે સાધારણ વનસ્પતિકાય કહે છે.
૩. સ્થાવર = (૧) પૃથ્વીકાય (૨) અપ્કાય (૩) તેઉકાય (૪)
વાઉકાય (૫) વનસ્પતિકાય. એ પાંચ સ્થાવરના ભેદ છે.