નિર્બાધરૂપથી તેમનું સ્વરૂપ લખ્યું છે જ પણ હવે જેનો ઉપદેશ
સાંભળીએ છીએ, જેના કહેલા માર્ગ ઉપર ચાલીએ છીએ, વા
જેની સેવા, પૂજા આસ્તિક્યતા, જાપ, સ્મરણ, સ્તોત્ર,
નમસ્કાર અને ધ્યાન કરીએ છીએ એવા જે અર્હંતસર્વજ્ઞ,
તેમનું પ્રથમ પોતાના જ્ઞાનમાં સ્વરૂપ તો ભાસ્યું જ નથી, તો
તમે નિશ્ચય કર્યા વિના કોનું સેવન કરો છો? લોકમાં પણ
આ પ્રમાણે છે કે અત્યંત નિષ્પ્રયોજન વાતનો પણ નિર્ણય કરી
ચારિત્ર જ્ઞાનમાં નિયત છે; જ્ઞાન આગમથી થાય છે; આગમ
યથાર્થ ઉપદેશમાંથી પ્રવર્તે છે; યથાર્થ ઉપદેશ આપ્તપુરુષ દ્વારા
હોય છે; અને આપ્ત રાગાદિ સર્વ દોષથી રહિત છે, માટે
સત્પુરુષો તે સર્વ સુખના દાતા આપ્તને યુક્તિથી ભલી રીતે
વિચારીને કલ્યાણને માટે તેનો આશ્રય કરો.