Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 60 of 103
PDF/HTML Page 72 of 115

 

background image
૬૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
પ્રવર્તે છે અને આત્મહિતના મૂળ આધારભૂત જે અર્હંતદેવ,
તેનો નિર્ણય કર્યા વિના જ તમે પ્રવર્તો છો એ મોટું આશ્ચર્ય
છે! વળી તમને નિર્ણય કરવા યોગ્ય જ્ઞાન પણ ભાગ્યથી
પ્રાપ્ત થયું છે માટે તમે આ અવસરને વૃથા ન ગુમાવો.
આળસ આદિ છોડી તેના નિર્ણયમાં પોતાને લગાવો કે જેથી
તમને વસ્તુનું સ્વરૂપ, જીવાદિકનું સ્વરૂપ, સ્વ
પરનું
ભેદવિજ્ઞાન, આત્માનું સ્વરૂપ, હેયઉપાદેય અને શુભ
અશુભ શુદ્ધ અવસ્થારૂપ પોતાના પદઅપદનું સ્વરૂપ એ
બધાનું સર્વ પ્રકારથી યથાર્થજ્ઞાન થાય. માટે સર્વ મનોરથ સિદ્ધ
થવાનો ઉપાય જે અર્હંતસર્વજ્ઞનું યથાર્થજ્ઞાન જે પ્રકારથી થાય
તે પ્રથમ કરવા યોગ્ય છે. કહ્યું છે કેઃ
जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्यत्तेहिं
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्य लयं ।।८०।।
અર્થ :જે દ્રવ્યગુણપર્યાયો વડે અર્હંતને જાણે છે
તે જ આત્માને યથાર્થ જાણે છે અને તેના જ મોહનો નાશ થાય
છે. કારણ કે
જે અર્હંતનું સ્વરૂપ છે તે જ પોતાનું સ્વરૂપ છે
પણ વિશેષતા એટલી છે, કે તેઓ પહેલા અશુદ્ધ હતા અને
૧. ભેદવિજ્ઞાન = આત્મા અને જડની જુદાઈનું ભાન.
અર્થ :જે જીવ અર્હંત ભગવાનને દ્રવ્યપણે, ગુણપણે ને
પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે; અને તેનો
મોહ ખરેખર નાશ પામે છે.