Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 61 of 103
PDF/HTML Page 73 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૧
રત્નત્રયના સાધનથી વિભાવોને નાશ કરી શુદ્ધ થયા છે અને
તમને રત્નત્રયનું સાધન નથી થયું, તેથી
બહિરાત્મપણું બની
રહ્યું છે.
એ પ્રમાણે શ્રીગુરુ પરમ દયાળુ છે, તેથી તમને આ
વાતમાં ચિત્ત લગાવવાની પ્રેરણા કરે છે. તમે પણ દર્શનાદિક
કાર્ય તો કરો છો જ પણ તેમાં આટલું વિશેષ કરવું કે
અનધ્યવસાયી ઘેલી પાગલપણાની આદત છોડી પ્રથમ નિર્ણય
કરી દર્શનાદિક કરો. જેમાં ચિત્ત પણ સારી રીતે સ્થિર થાય,
સુખ પણ વર્તમાનમાં ઉપજે તથા આસ્થા પણ કાયમ રહે
ત્યારે પોતે અન્યનો ચલિત કર્યો ચલિત થાય નહિ. માટે
સર્વથી પ્રથમ અર્હંતસર્વજ્ઞનો નિર્ણય કરવારૂપ કાર્ય કરવું, એ
જ શ્રીગુરુની મૂળ શિક્ષા છે.
ત્યાં જે જીવ, પ્રમાણજ્ઞાન દ્વારા અર્હંતદેવના આગમનું
સેવન, યુક્તિનું અવલંબન, પરંપરાગુરુઓનો ઉપદેશ તથા
સ્વાનુભવ વડે નિર્ણય કરીને જૈની થશે તે જ મોક્ષમાર્ગરૂપ
સાચું ફળ પામશે તથા સાતિશય પુણ્યબંધ કરશે. તથા જે આ
વાતો દ્વારા નિર્ણય તો નહિ કરે અને કુલક્રમથી, વ્યવહારરૂપ
વા બાહ્યગુણોના આશ્રયથી, શાસ્ત્રોથી સાંભળીને તેનાથી
પોતાનું ભલું થવું જાણીને તથા પંચાયત સંબંધના આશ્રયથી
તેમનો સેવક થઈ અજ્ઞાનવિનયાદિરૂપ પ્રવર્તશે, તેને સાચું
નિશ્ચયસ્વરૂપ ફળ તો આવશે નહિ પણ માત્ર પુણ્યબંધ થઈ
૧. બહિરાત્મપણું = આત્માના સ્વભાવથી વિમુખપણું.