મટાડવા અર્થે અવિનયાદિરૂપ અયથાર્થ પ્રવર્તે છે વા
લૌકિકપ્રયોજનની વાંછા પૂર્વક યથાર્થ કે અયથાર્થ પ્રવર્તે છે
અને (ઉપરથી) આત્મકલ્યાણનું સમર્થન કરે છે, તેને તો
પાપબંધ જ થાય છે. માટે જેને આત્મકલ્યાણ કરવું છે તેણે
તો આ દશ વાતો દ્વારા નિર્ણય કરીને જે સાચા દેવ ભાસે
તેમના, આસ્તિક્યતા લાવી સેવક થવું યોગ્ય છે. એ દશ
વાતો કઈ છે તે કહીએ છીએ
અન્યના ઉપદેશ આદિથી અર્હંતદેવના અસ્તિત્વની આસ્થા
લાવવાનું બળ પોતાના ચિત્તમાં પ્રાપ્ત થવું અથવા અર્હંતના
અસ્તિત્વની સ્પષ્ટ ભાવના થઈ જવી, તેનું નામ સત્તાનિશ્ચય
છે.
શ્વેતામ્બર, રક્તામ્બર, પીતામ્બર, ઢુંઢિયા અને સંવેગી આદિ