Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 64 of 103
PDF/HTML Page 76 of 115

 

background image
૬૪ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
એ પ્રમાણે પોતાને પ્રથમ સ્વરૂપનિશ્ચય થયો હોય તો
પ્રતિપક્ષીને સમજાવવાનું બળ રહે તથા પોતાની
આસ્તિક્યબુદ્ધિ પણ ટકી રહે. પણ જો એ પ્રમાણે ન હોય
તો
પ્રતિપક્ષીની યુક્તિનું ખંડન પણ ન કરી શકાય તથા
(પોતાને) સંશયાદિક કાયમ રહે ત્યારે તેને આસ્તિક્યતા ક્યાં
રહી? માટે પહેલાં ઉપરની વાતો દ્વારા અવશ્ય નિર્ણય કરવો
એ જ ધર્મનું મૂળ છે.
હવે, એ વડે અર્હંતસર્વજ્ઞનો નિર્ણય કેવી રીતે કરી
શકાય તેનો ઉપાય દર્શાવીએ છીએઃત્યાં પ્રથમ જ સત્તા
નિશ્ચય જો ‘અર્હંતદેવ છે જ’ એવો નિશ્ચય થવાનો પ્રબંધ આ
પ્રમાણે કરીએ છીએઃ
કોઈ વાદી કહે વા પોતાના મનમાં
જ સંશય ઉપજી આવે કેતમે સર્વજ્ઞ કહો છો પણ એ જ
સર્વજ્ઞ જ નથી. તેનો ઉત્તરજો તમે સર્વજ્ઞની નાસ્તિ કહો
છો તો શા ઉપરથી કહો છો? ત્યારે તે કહે છે કેહું સર્વજ્ઞને
શા ઉપરથી જાણું, કોઈ એવું પ્રમાણ ભાસતું નથી કે જેથી
સર્વજ્ઞ જાણી શકાય. માટે નિશ્ચય વિના વસ્તુનું સંસ્થાપન કરવું
તે આકાશના ફૂલ સમાન છે. તેનો ઉત્તર
તેમને અજ્ઞાન
અંધકારનો સમૂહ ફેલાયેલો છે, જેથી પ્રમાણથી સિદ્ધ જે સર્વજ્ઞ
તે પણ તમને ન ભાસ્યા અને તમે (એકાએક)
નાસ્તિકપણાનું
વચન કહ્યું. એ જ શ્રી શ્લોકવાર્તિકમાં કહ્યું છે. યથાઃ
૧. પ્રતિપક્ષી = વિરુદ્ધ અભિપ્રાયવાળા.
૨. નાસ્તિકપણું = સર્વજ્ઞનું ન માનવાપણું.