Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 65 of 103
PDF/HTML Page 77 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૫
तत्र नास्त्येव सर्वज्ञो ज्ञापकानुपलंभनात्
व्योमांभोजवर्दित्येतत्तमस्तोगविजृभितम् ।।।।
(પ્રથમ અધ્યાયપાનું૧૧)
ત્યાં તેને અમે આ પ્રમાણે પૂછીએ છીએ કેસર્વજ્ઞને
જાણવાવાળું પ્રમાણજ્ઞાન તમને નથી જ તેથી તમે સર્વજ્ઞની
નાસ્તિ કહો છો? કે અન્યમાં સર્વજ્ઞ નથી તેથી કહો છો? કે
સર્વ મતવાળાઓમાં સર્વજ્ઞ નથી તેથી કહો છો? ત્યારે તે કહે
છે કે
‘મને (તેનું જ્ઞાન) નથી, કારણ કે મેં સર્વજ્ઞ દીઠા નથી
તેથી નાસ્તિ કહું છું’ ત્યારે તેને ઉત્તર આપીએ છીએ કેતમને
ન દેખવાથી સર્વજ્ઞની નાસ્તિ કહો છો, તો હવે જે જે વસ્તુ
તમને ન ભાસે તે બધાની નાસ્તિ કહો ત્યારે તો તમારો હેતુ
સિદ્ધ થાય ત્યાં સમુદ્રમાં જળ કેટલા ઘડા પ્રમાણ છે?’ હવે એ
ઘડાની ગણત્રી તમારા જ્ઞાનમાં તો આવી નથી, પરંતુ સમુદ્રમાં
જળ તો સંખ્યાની મર્યાદાસહિત અવશ્ય છે, તથા તમારાથી ઘણા
ચતુર વા જ્ઞાનીના જ્ઞાનમાં એ સમુદ્રના જળની પ્રમાણતા આવી
જ હશે કે ‘આમાં આટલા ઘડાપ્રમાણ જળ છે.’ હવે એ પ્રકારે
તો તમારામાં સ્વસંબંધી જ્ઞાપકાનુપલંભ નામનો હેતુવ્યભિચાર
આવ્યો.
અર્થ :જેમ આકાશના ફૂલનાં અસ્તિત્વને જણાવનારું કોઈ
પ્રમાણ પ્રાપ્ત નહિ હોવાથી આકાશનું ફૂલ નથી. તેમ સર્વજ્ઞના
અસ્તિત્ત્વને જણાવનારું કોઈ પ્રમાણ પ્રાપ્ત નહિ હોવાથી સર્વજ્ઞ
પણ નથી, આમ માનવું તે અંધકારના સમૂહનો ફેલાવ છે.