Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 66 of 103
PDF/HTML Page 78 of 115

 

background image
૬૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જેમ કોઈ પુરુષે દિલ્લી ન દેખી તો તેના ન દેખાવાથી
કાંઈ દિલ્લીનો અભાવ તો કહી શકાય નહિ, અર્થાત્ દિલ્લી તો
છે જ. તે જ પ્રમાણે તમને સર્વજ્ઞને દેખવાનો ઉપાય તો ન
ભાસ્યો વા સર્વજ્ઞ ન દેખ્યા તો તમે અજ્ઞાની છો, તમને ન
ભાસવાથી કાંઈ સર્વજ્ઞનો અભાવ તો કહી શકાય નહિ. સર્વજ્ઞ તો
છે જ. એ પ્રમાણે શ્રી શ્લોકવાર્તિકમાં પણ કહ્યું છે. યથાઃ
स्वसंबंधि यदीदं स्याद्ब्यभिचारि पयोनिधेः
अंभः कुंभादिसंख्यानैः सद्भिरज्ञायमानकैः ।।१४।।
(પ્ર. અ. પાનું૧૩)
વળી, જે પરસંબંધિ જ્ઞાપકાનુપલંભ નામના હેતુને ગ્રહણ
કરે અર્થાત્ પર જે અન્ય, તેમને સર્વજ્ઞ જાણવાનો ઉપાય ન
ભાસ્યો વા તેણે સર્વજ્ઞ ન દીઠા, તેથી એ પરની અપેક્ષાએ
સર્વજ્ઞની નાસ્તિ કહે છે. ત્યાં તેને પૂછીએ છીએ કે
તમારાથી
પર તો અમે પણ છીએ, હવે અમે કહીએ છીએ કે ‘અમને
સર્વજ્ઞને જાણવાના ઉપાયરૂપ જ્ઞાન ભાસ્યું છે તેનાથી સર્વજ્ઞને
અમે જાણ્યા છે, તેથી તમે પરઅપેક્ષાએ સર્વજ્ઞની નાસ્તિ કેવી
રીતે કહો છો? કારણ કે અમે તમને તમારા વચનથી સર્વજ્ઞનો
આસ્તિક્યતારૂપ નિર્ણય કરાવી આપશું અને ફરી તમે
અર્થ :‘સર્વજ્ઞને જણાવનારું પ્રમાણ મને પોતાને ઉપલબ્ધ
નથી, તેથી સર્વજ્ઞ નથી.’ એમ માનવામાં આવે તો સમુદ્રના
જળની (ચોક્કસ) ઘટસંખ્યા જે તને પોતાને અજ્ઞાત હોવા છતાં
વિદ્યમાન છે, તેની સાથે વ્યભિચાર આવે છે.