Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 67 of 103
PDF/HTML Page 79 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૭
વિરુદ્ધવચન કહેતા જશો અને ન્યાય થયેલ જો અમારી વાત
સાચી રહી જાશે તો એમાં મતપક્ષરૂપ પરસ્પર વ્યાઘાત થશે,
તથા જો ન્યાયમાં પ્રમાણ દ્વારા તેનાથી સિદ્ધ ન કરવામાં આવે
તો અમારી સિદ્ધિ જૂઠ્ઠી પડી. માટે અમને જેમ (તેની સિદ્ધિ)
ભાસી છે તેવી તમને પ્રમાણ દ્વારા સિદ્ધ કરાવી આપશું, ત્યારે
તમારો પરસંબંધિ જ્ઞાપકાનુપલંભ નામનો હેતુ સર્વજ્ઞની નાસ્તિ
સાધવામાં જૂઠો પડ્યો. માટે તમારે પરની અપેક્ષાએ સર્વજ્ઞની
નાસ્તિ માનવી યોગ્ય નથી. એ જ વાત શ્રી શ્લોકવાર્તિકજીમાં
કહી છે. યથાઃ
परोपगमतः सिद्धस्स चेन्नास्तीति गम्यते
व्याघातस्तत्प्रमाणत्वेडन्योन्यं सिद्धो न सोऽन्यथा ।।२७।।
(પ્ર. અ. પાનું૪૧ફૂટનોટ)
વળી તમે કહેશો કે‘જગતમાં સર્વને જ સર્વજ્ઞ દેખવાનો
ઉપાય ભાસ્યો નથી વા સર્વજ્ઞ દીઠા નથી, તેથી સર્વસંબંધી
સર્વજ્ઞની નાસ્તિ કહીએ છીએ’ તેને પૂછીએ છીએ કે
તમને
સર્વને સર્વજ્ઞ ન દેખવાનો નિશ્ચય કેવી રીતે થયો? ત્યારે તે કહે
અર્થ :‘સર્વજ્ઞને જણાવનારું પ્રમાણ પરને (મારાથી અન્ય
વ્યક્તિને) ઉપલબ્ધ નથી, માટે સર્વજ્ઞ નથી’; એમ કારણ
આપવામાં આવે તો તારાથી અન્ય વ્યક્તિ તો હું પણ છું કે જેને
સર્વજ્ઞને જણાવનારું પ્રમાણ ઉપલબ્ધ છે. એ રીતે અન્ય
વ્યક્તિઓની માન્યતામાં પરસ્પર વ્યાઘાત થતો હોવાથી અન્ય
વ્યક્તિની માન્યતા દ્વારા પણ સર્વજ્ઞનો અભાવ થતો નથી.